જામનગરમાં બોર્ડની પરીક્ષાઓ શાંતીપુર્ણ વાતાવરણમાં ચાલી રહી છે, ગઇકાલે ધો. ૧૦માં ગણિતનું પેપર લેવાયુ હતું અને બપોર બાદ ધો. ૧૨માં અર્થશાસ્ત્રના પેપરમાં એક કોપી કેસ નોંધાયો હતો, જયારે આજે ઇતિહાસના પેપરમાં ૧૧ વિધાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા.
જામનગર ધો. ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાઓ શાંતીપુર્ણ વાતાવરણમાં બંદોબસ્ત સાથે ચાલી રહી છે, ગઇકાલે ધો. ૧૦માં ગણિતના પેપરમાં ૧૪૭૬૭ હાજર અને ૨૬૮ ગેરહાજર રહયા હતા, બપોરે ધો. ૧૨માં અર્થશાસ્ત્રનું પેપર લેવાયુ હતું જેમાં શહેરની સેન્ટ ફ્રાન્સીસ સ્કુલમાં એક ગેરરીતીનો કેસ સામે આવ્યો હતો, અહીં પરીક્ષા કેન્દ્રમાં એક વિધાર્થીની ચિઠ્ઠી સાથે સ્થળ નિરીક્ષણની તપાસમાં ઝપટે ચડી હતી.
આજે ધો. ૧૨માં ઇતિહાસનું પેપર સવારના સેશનમાં લેવાયુ હતું જેમાં ૫૫૫ હાજર અને ૧૧ ગેરહાજર નોંધાયા હતા, આજે બપોરે ધો. ૧૨માં આંકડા શાસ્ત્રનું પેપર લેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગરમાં બોર્ડની પરીક્ષા દરમ્યાન એક વિધાર્થીનીની તબીયત લથડતા કેન્દ્ર ખાતે ૧૦૮ની ટીમ પહોચી હતી અને પ્રાથમિક સારવાર આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech