થોડા સમય અગાઉ રાજકોટ મહાનગરપાલિકાએ રામનાથ પરામાં રહેતા ઈમ્તિયાઝ જુમાભાઈ કાલીયા નામના શખસ પાસેથી ૧,૬૦૦ કીલો પનીરનો જથ્થો ઝડપી પાડો હતો. સબ સ્ટાન્ડર્ડ કવોલિટીના પનીરનો મોટો જતો ઝડપાયા પછી તે અંગેનો કેસ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ચેતનભાઇ ગાંધીની કોર્ટમાં મૂકવામાં આવ્યો હતો. અધિક કલેકટર ગાંધીએ આ કિસ્સામાં . ૫ લાખનો દડં ફટકાર્યેા છે.
પનીરનો આ જથ્થો ભાવનગરથી લાવી પ્રતિ કિલો પિયા ૨૦ ના ભાવ ફેરથી તે રાજકોટમાં જુદી જુદી હોટલોને અને મોટા પ્રમાણમાં પનીરનો ઉપયોગ કરતી હોસ્ટેલ બોડિગ જેવી સંસ્થાઓને વેચતો હતો.અવાજ અન્ય એક કિસ્સામાં મેટોડામાં ફેકટરી ધરાવતા ગીરીશભાઈ લાલજીભાઈ શિંગાળાના બીસ ડ્રીંક એડેડ મિનરલ વોટરની ૨૦૦ અને ૫૦૦ મીલીલીટરની બોટલોનો જથ્થો ઝડપાયો હતો તે પણ સબ સ્ટાન્ડર્ડ હોવાનું ખુલતા તેને પિયા ૫૦,૦૦૦નો દડં કરવામાં આવ્યો છે.
મેટોડાના આ વેપારીએ પોતાનો ધંધો બધં કરી દીધો હતો પરંતુ સ્ટોકમાં પડેલ બોટલોના નિકાલની વ્યવસ્થા કરવામાં આવતી હતી તે દરમિયાન માલ ઝડપાઈ ગયો હતો અને આજે પિયા ૫૦,૦૦૦ નો દડં કરાયો છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજકોટ મહાનગર પાલિકાની ફડ શાખાએ એકાદ વર્ષ પહેલા બાતમીના આધારે શહેરના ઢેબર રોડ પર આવેલા ભાડલા પેટ્રોલ પમ્પ નજીક ભુતખાના ચોકમાં વોચ ગોઠવી હતી. શહેરમાં ભેળસેળયુકત પનીર સપ્લાય થતું હોવાની માહિતી પરથી આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણી, ડેઝી. ઓફિસર ડો.હાર્દિક મહેતા, ફડ ઓફિસર આર.આર.પરમાર, કે.એમ.રાઠોડ દ્રારા બાતમી મુજબનું બોલેરો વાન ન.ં જીજે ૦૪ એડબલ્યુ ૩૮૭૭ અટકાવ્યુ હતું અને તેમાં તલાસી લેતા વાહનમાં પનીરની સપ્લાય કરતા રામનાથપરા મેઇન રોડ પરના ધંધાર્થી ઇમ્તીયાઝ જુમ્માભાઇની પુછપરછ કરતા, તે દોઢ વર્ષથી શહેર અને આજુબાજુના તાલુકાના વિસ્તારોમાં પનીર સપ્લાય કરતા હોવાનું કબુલ્યું હતું.
આ વાહનમાં ૨૦–૨૦ કિલોના ૮૦ બોકસ મળી ૧૬૦૦ કિલો લુઝ પનીરનો જથ્થો મળ્યો હતો. આ જથ્થો ભાવનગર જિલ્લાના મહત્પવાના મેસવાડ ગામે આવેલા રામકૃષ્ણ ડેરીમાંથી મંગાવ્યાનું ખુલતા તેની પાસેથી આઠ ઇ–વે બીલ પકડી ત્યાં તપાસ શ કરી છે. ા. ૧૯૦ લેખે આ ૩.૦૪ લાખનો જથ્થો ભેળસેળયુકત હોવાનું તેણે સ્વીકારતા પૂરા માલનો નાશ કરી દેવામાં આવ્યો છે. તો ફડ એકટ મુજબ નમુનો પણ લેવાયો છે. આ પછી જથ્થો મંગાવનાર વેપારીની પૂછપરછ કરવામાં આવતાં તેણે જણાવ્યું હતું કે, તેણે આ જથ્થો ભાવનગરના મહત્પવાની રામકૃષ્ણ ડેરીમાંથી મંગાવ્યો હતો. આ પનીર તેણે ૧૯૦ પિયે કિલોની કિંમતે મંગાવ્યા બાદ અહીંની આઠ જેટલી નામાંકિત ડેરીઓમાં ઉંચી કિંમતે વેચવાનો હતો. આ ઉપરાંત અન્ય સ્થળે પણ પનીરની સપ્લાય કરવામાં આવવાની હતી. પનીરનો આ જથ્થો એક મોટા ટેમ્પોમાં ભરીને રાજકોટ આવ્યો હોવાનું ખુલ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech