ખંભાળિયાથી આશરે 23 કિલોમીટર દૂર ભાણખોખરી તથા કોટડીયા ગામ વચ્ચેની ગોલાઈ પાસેથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા એક મોટરકારના ચાલકે આ માર્ગ પર મોટરસાયકલ પર દરણું દળાવવા જઈ રહેલા સચિનભાઈ થારસીંગભાઈ ચૌહાણ તથા અન્ય એક યુવાનના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે બાઇક સવાર સચિનભાઈ થાનસિંગભાઈ ચૌહાણનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય યુવાનને નાની મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
અકસ્માત સર્જીને આરોપી વાહન ચાલક નાસી છૂટ્યો હોવાનું વધુમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે મૂળ મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના વતની અને હાલ કોટડીયા ગામે વાડી વિસ્તારમાં રહેતા મૃતકના પિતા થાનસીંગભાઈ ભાલસિંગભાઈ ચૌહાણની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ભારતીય ન્યાય સંહિતા તેમજ મોટર વ્હીકલ એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. ડી.જી. પરમાર દ્વારા હાથ ધરવામાં આવી છે.
પૂરપાટ દોડતી કારની અડફેટે બાઈક સવાર યુવાનનું કરુણ મોત
ખંભાળિયા નજીકના ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 10 કિલોમીટર દૂર લલીયા ગામથી મોટી ખોખરી ગામ તરફ જઈ રહેલા માર્ગ પર જી.જે. 10 ડી.એ. 0145 નંબરની મારુતિ સેલેરિયા મોટરકારના ચાલક હેમલભાઈ વલ્લભભાઈ ચૌહાણ (ઉ.વ. 40, રહે. સ્વામિનારાયણ ટાઉનશીપ, લાલપુર બાયપાસ, ખંભાળિયા) એ જી.જે. 37 કે. 1311 નંબરની હોન્ડા સાઈન મોટરસાયકલને અડફેટે લેતા આ મોટરસાયકલ પર જઈ રહેલા હરદાસભાઈ નારણભાઈ ડેર નામના 27 વર્ષના યુવાનને શરીરના જુદા જુદા ભાગોમાં જીવલેણ ઈજાઓ થતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે મૃતકના ભાઈ નિલેશભાઈ નારણભાઈ ડેર (ઉ.વ. 30, રહે. મોટી ખોખરી) ની ફરિયાદ પરથી કાર ચાલક હેમલભાઈ ચૌહાણ સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, તેની અટકાયત કરી હતી.
કલ્યાણપુર નજીક તળાવમાં ન્હાવા પડેલી યુવતીનું મૃત્યુ
કલ્યાણપુરથી આશરે 30 કિલોમીટર દૂર ભાટવડીયા ગામની સીમમાં આવેલા તળાવમાં બરડીયા ગામના રહીશ લાભુબેન રાયમલભાઈ પરમાર નામના 22 વર્ષના પરિણીત મહિલા ન્હાવા ગયા હતા. ત્યારે તળાવના પાણીમાં કોઈ કારણોસર ડૂબી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
મૃતક મહિલાનો લગ્ન ગાળો બે વર્ષનો હતો. આ બનાવ અંગે મૃતકના પતિ રાયમલભાઈ વીરાભાઈ પરમાર (ઉ.વ. 25, રહે. બરડીયા, તા. દ્વારકા) એ કલ્યાણપુર પોલીસમાં જરૂરી નોંધ કરાવી છે. જેને અનુલક્ષીને ડીવાયએસપીના વડપણ હેઠળ સ્થાનિક પી.એસ.આઈ. ઝાલા દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
ભાણવડ પંથકમાં ઝેરી જનાવર કરડી જતાં પરપ્રાંતિય તરુણીનું અપમૃત્યુ
મધ્ય પ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાની મૂળ વતની અને હાલ કલ્યાણપુર તાલુકાના નગડીયા ગામની સીમમાં રહેતા રહેતી કુસુમબેન ઉમરસિંગભાઈ રાવત નામની 17 વર્ષની તરુણી ભાણવડ તાલુકાના રેટા કાલાવડ ગામની સીમમાં વાડીની ઓરડીમાં રાત્રિના સમયે સૂતી હતી. ત્યારે તેણીને ઝેરી જનાવર કરડી જતા ઉલટી અને ખેંચ ઉપડી આવી હતી. જેથી તેણીને અડવાણાની હોસ્પિટલમાં લઈ જતા રસ્તામાં જ તેણીની તબિયતના બગડ્યા બાદ તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના મામા કાદુભાઈ પાનરસિંગભાઈ આદિવાસી (ઉ.વ. 25, રહે. મૂળ અલીરાજપુર) એ ભાણવડ પોલીસને કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech