રાજકોટમાં ગોંડલ રોડ પર આવેલા કાઠીયાવાડ બાલાશ્રમમાં રાત્રિના પોણા એક વાગ્યા આસપાસ અહીં બાલાશ્રમના ગેટ પાસે આવેલા પારણામાં કોઈ એક દિવસના નવજાત બાળકને મૂકીને ડોરબેલ મારી જતું રહ્યું હતું. બાદમાં આ બાળકને સારવાર માટે ઝનાના હોસ્પિટલ લઈ જતા અહીં ટૂંકી સારવાર બાદ આ માસુમે આંખો મીંચી દીધી હતી. આ અંગે ભકિતનગર પોલીસે અકસ્માત મોત અંગેની એન્ટ્રી દાખલ કરી વિશેષ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગતો મુજબ,શહેરના ગોંડલ રોડ પર આવેલા કાઠીયાવાડ બાલાશ્રમમાં ગઈકાલ રાત્રિના પોણા એક વાગ્યા આસપાસ પારણાની ડોરબેલ વાગતાં પાંચેક મિનિટ બાદ બાલાસરમના ગૃહપતિ જોસનાબેન અહીં બહાર આવ્યા હતા અહીં આવી જોતા પારણામાં એક દિવસનો નવજાત બાળક હોય તેને ઓફિસમાં લઈ જઈ તુરતં ૧૦૮ ને જાણ કરી હતી. બાદમાં ૧૦૮ મારફત આ બાળકને સારવાર માટે ઝનાના હોસ્પિટલ લઈ જવામાં આવ્યું હતું. અહીં સારવાર બાદ રાત્રીના બે અને ૧૮ કલાકે ફરજ પરના તબીબે આ નવજાત બાળકને મૃત જાહેર કયુ હતું.જેથી આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા ભકિતનગર પોલીસ મથકના પીએસઆઇ પી.એન. ગોહિલે અહીં પહોંચી જરી કાર્યવાહી કરી હતી.હાલ આ મામલે ભકિતનગર પોલીસે અકસ્માત મોત અંગેની નોંધ કરી કાઠીયાવાડ બાલાશ્રમના પારણામાં રાત્રિના નવજાત બાળકને મૂકી જનાર કોણ? તે અંગે તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech