ચારધામ યાત્રાના બહ્વીકો પ્રતિ વર્ષ વધી રહ્યા છે તેના અનુસંધાને કેન્દ્ર સરકાર પણ વધુ સત્રક બની છે અને યાત્રા સુચા રીતે ચાલે તે માટે આયોજનબદ્ધ પગલા લઈ રહી છે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાએ યાત્રા વિશે માહિતી મેળવવા માટે ઉત્તરાખંડના મુખ્ય સચિવ અને અન્ય અધિકારીઓ સાથે વચ્ર્યુઅલ બેઠક યોજી હતી. બેઠકમાં, ગૃહ સચિવે ધામો, યાત્રાના માર્ગેા અને રોકાવાના સ્થળોએ યાત્રાળુઓના દૈનિક અહેવાલો ગૃહ મંત્રાલય સાથે શેર કરવા જણાવ્યું હતું.
ચારધામ યાત્રાને લઈને હવે કેન્દ્ર સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાએ યાત્રા વિશે માહિતી મેળવવા માટે ઉત્તરાખંડના મુખ્ય સચિવ અને અન્ય અધિકારીઓ સાથે વચ્ર્યુઅલ બેઠક યોજી હતી. બેઠકમાં, ગૃહ સચિવે ધામો, યાત્રાના માર્ગેા અને રોકાવાના સ્થળોએ યાત્રાળુઓના દૈનિક અહેવાલો ગૃહ મંત્રાલય સાથે શેર કરવા જણાવ્યું હતું. તેમણે જર પડે તો યાત્રા ટ પર ભીડનું સંચાલન કરવા માટે એનડીઆરએફ અને આઈટીબીપીનીની મદદ લેવાનો પણ નિર્દેશ આપ્યો છે.ભવિષ્યમાં ચારધામ યાત્રાના સંચાલનની રણનીતિ ઘડવા માટે એક કમિટી બનાવવાનું પણ કહેવામાં આવ્યું છે.મુખ્ય સચિવ રાધા રાતુરીએ ગૃહ સચિવને જણાવ્યું કે ૫ મુખ્ય રાયો – ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર્રના મુખ્ય સચિવોને પત્ર લખવામાં આવ્યો છે. વ્યકિતગત રીતે વાત કરતાં, તેમને ઉમેયુ હતું કે તેઓ તેમના રાયના પ્રવાસીઓને નોંધણી પછી જ ચારધામની મુલાકાત લેવા કહે. જે તારીખે તેઓ નોંધાયેલા છે તે જ તારીખે મુસાફરો માટે આવો. એવી પણ માહિતી આપવામાં આવી હતી કે મુખ્યમંત્રીએ ૩૧ મે સુધી ચારધામ યાત્રાના ઓફલાઈન રજીસ્ટ્રેશન પર પ્રતિબધં મૂકયો છે
૨૨ મે સુધી ૩૧ લાખ યાત્રાળુઓની નોંધણી
મુખ્ય સચિવે માહિતી આપી હતી કે ૨૨ મે સુધી કુલ ૩૧,૧૮,૯૨૬ નોંધણી કરવામાં આવી હતી. તેમાંથી યમુનોત્રી માટે ૪,૮૬,૨૮૫ ભકતોએ, ગંગોત્રી માટે ૫,૫૪,૬૫૬, કેદારનાથ માટે ૧૦,૩૭,૭૦૦, બદ્રીનાથ માટે ૯,૫૫,૮૫૮ અને હેમકુંટ સાહિબ માટે ૮૪,૪૨૭ ભકતોએ નોંધણી કરાવી છે
અહીંથી સૌથી વધુ ભકતો ઉમટયા
ચારધામ યાત્રામાં મોટાભાગના શ્રદ્ધાળુઓ ૧૦ રાયોના છે. આ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર્ર, ગુજરાત, રાજસ્થાન, દિલ્હી, બિહાર, હરિયાણા, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢ છે. મુખ્ય સચિવના જણાવ્યા અનુસાર, ઉત્તરાખડં ટૂરિઝમ ડેવલપમેન્ટ બોર્ડનું કોલ સેન્ટર રજીસ્ટ્રેશન માટે ૨૪ કલાક કામ કરી રહ્યું છે. બરકોટ (યમુનોત્રી), હીના (ગંગોત્રી), સોનપ્રયાગ (કેદારનાથ) અને પાંડુકેશ્વર (બદ્રીનાથ) ખાતે નોંધણીની ચકાસણી કરવામાં આવી રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech