રાજસ્થાનના કોટામાં આઈઆઈટીની તૈયારી કરી રહેલા વિધાર્થીનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હતું. કુશાગ્ર બાથમમાં બેભાન હાલતમાં મળી આવતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. જવાહર નગર પોલીસ સ્ટેશનના એસએચઓ હરિ નારાયણ શર્માના જણાવ્યા અનુસાર, વિધાર્થી આ વર્ષે એપ્રિલમાં કોચિંગ માટે કોટા આવ્યો હતો. તે જૂના રાજીવ ગાંધી નગર વિસ્તારમાં એક હોસ્ટેલમાં રહેતો હતો. હજુ તો વિધાર્થીની માતા બે દિવસ પહેલા કોટા આવી હતી, ત્યારે તેને કયાં ખબર હતી કે પુત્ર સાથે આ તેની અંતિમ મુલાકાત છે.
સોમવારે સવારે કુશાગ્ર ન્હાવા માટે બાથમમાં ગયો હતો પરંતુ ૧૦ થી ૧૫ મિનિટ સુધી તે બહાર ન આવતાં તેની માતાએ તેને બોલાવ્યો હતો. યારે તેણે જવાબ ન આપ્યો, ત્યારે તેઓએ બાથમનો દરવાજો ખોલ્યો. ત્યાં તેણીએ તેના પુત્રને બેભાન પડેલો જોયો અને હોસ્ટેલ સ્ટાફની મદદથી તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.પિતાના આવ્યા બાદ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું છે.
વિધાર્થીના મોતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. હાલ કુશાગ્રના મૃતદેહને મોર્ચરીમાં રાખવામાં
આવ્યો છે.
એસએચઓએ વધુમાં ઉમેયુ હતું કે અમે વિધાર્થીના પિતાના આગમનની રાહ જોઈ રહ્યા છીએ. તેની માતાને હજુ સુધી તેના પુત્રના મૃત્યુ અંગેની જાણ કરવામાં આવી નથી કારણ કે તેના પરિવારનો કોઈ સભ્ય આ સમયે શહેરમાં હાજર નથી. મૃત્યુના કારણ વિશે પૂછવામાં આવતા એસએચઓએ કહ્યું કે તબીબોને પણ હજુ સુધી ખબર નથી કે કિશોરનું મૃત્યુ કેવી રીતે થયું.તેમણે કહ્યું, મંગળવારે પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યા બાદ જ અમે આ બાબતે સ્પષ્ટ્રતા મેળવી શકીશું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech