નવી મુંબઈમાં ત્રણ માળની ઈમારત પત્તાના મહેલની માફક ધરાશાયી થઈ ગઈ હતી. જેના કાટમાળ નીચે અનેક લોકો ફસાયા હોવાની આશંકા. છે. ઘટનાની જાણ થતા જ એનડીઆરએફ, પોલીસ અને નગરપાલિકાની ટીમ દોડી ગઈ હતી અને બચાવ કાર્ય શરુ કરી દેવાયું છે.
નવી મુંબઈના શાહબાઝ ગામમાં એક ત્રણ માળની ઈમારત ’ઈન્દિરા નિવાસ’ ધરાશાયી થઈ છે. આ દુર્ઘટનાની જાણકારી મળતા જ એનડીઆરએફ , મુંબઈ પોલીસ, ફાયર વિભાગ અને પાલિકાની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બચાવ કાર્ય શરૂ કર્યું.શાહબાઝ ગામ નવી મુંબઈના સીબીડી બેલાપુર વિસ્તારમાં આવેલું છે આ ઈમારત ગ્રાઉન્ડ વત્તા 3 માળની હતી. ફાયર બ્રિગેડે જણાવ્યું કે આ ઘટના આજે વહેલી સવારે 4.35 વાગ્યે બની હતી. આ અકસ્માતમાં બે લોકો દટાયા હોવાની આશંકા છે.તેમજ 2 લોકોને બચાવીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નવી મુંબઈના મ્યુનિસિપલ કમિશનર કૈલાશ શિંદેએ માહિતી આપી છે કે, આ ઈમારત આજે સવારે 5.00 વાગ્યા પહેલા ધરાશાયી થઈ હતી. આ સેક્ટર-19, શાહબાઝ ગામમાં એક +3 બિલ્ડીંગ છે. આ 3 માળની ઈમારતમાંથી 52 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. કાટમાળ નીચે ફસાયેલા લોકોને બચાવી લેવાયા છે.જો કે આ ઇમારત પડશે તેવું લાગતા જ લોકો ઘરની બહાર નીકળી ગયા હતા જેથી જાનહાનીની શક્યતા ઓછી છે તેમ સુત્રો એ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech