વિધ્નહર્તાનું વાજતે ગાજતે સ્થાપન થયુ છે.જૂનાગઢમાં હવેલી ગલીમાં આવેલ જલારામ બાપા તથા વીરબાઈમા મંદિરમાં ગણપતિ દાદાની પીઓપીની મૂર્તિના બદલે ધાતુની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે.ભગવાનનુ વિસર્જન ન હોય તેવા હેતુ અને પર્યાવરણ જાગૃતિના ઉદ્દેશ્યથી મૂર્તિનું વિસર્જન કરવાને બદલે વર્ષભર મંદિરમાં જ રાખવામાં આવે છે.
જૂનાગઢમાં હવેલી ગલીમાં જલારામ બાપા તથા વીરબાઇ માતાના મંદિરે પીઓપી કે માટીના બદલે ધાતુની ગણપતિ દાદાની મૂર્તિ સ્થાપન કરી દસ દિવસીય ગણેશ મહોત્સવની ઉજવણીનો પ્રારભં થયો છે.ગુલાબજળ અને ગંગાજળથી મૂર્તિનું પૂજન બાદ મંદિર પરિસરમાં આરતી, મહિલા મંડળ દ્રારા સત્સગં સહિતના કાર્યક્રમ દ્રારા ૧૦ દીવસ સુધી જલારામ બાપા અને ગણપતિ બાપાની આરાધના કરવામાં આવશે. જલારામ મંદિર ટ્રસ્ટ મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ મશના જણાવ્યા મુજબ પીઓપીની મૂર્તિના વિસર્જનથી પર્યાવરણ અને નદીઓ દૂષિત થાય છે.સર્જન કર્તા ભગવાનનું વિસર્જન ન હોય તેવા હેતુથી મંદિરમાં ધાતુની મૂર્તિની સ્થાપના લોકોને અનોખી પ્રેરણા આપે છે.દસ દિવસ ગણેશ મહોત્સવ દરમિયાન ગણપતિ દાદાના ચરણોમાં ૧૧૧૧ શુદ્ધ ઘીના ચુરમાના લાડુ ધરાવવામાં આવશે. જેથી પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ જલારામ મંદિરે ગણેશ મહોત્સવની ઉજવણી થશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech