પોરબંદર મહાનગરપાલિકાના તંત્રના સ્ટ્રીટલાઇટ ચાલુ-બંધ કરાવવાના કોઇ ઠેકાણા રહ્યા નથી તેની બેદરકારી શહેરના અલગ-અલગ વિસ્તારોમાં અવારનવાર જોવા મળી છે. તાજેતરમાં જ પોરબંદર સહિત ગુજરાતમાં અડધો કલાકનું ‘બ્લેક આઉટ’ રાખવામાં આવ્યુ ત્યારે મહાનગરપાલિકાના તંત્રએ કર્લીપુલ ઉપરના બંને લાઇટ ટાવર ઝળહળતા રાખીને પોતાની બેદરકારી દર્શાવી હતી. તો હવે બીજી બાજુ શહેરના બોખીરાથી જ્યુબેલી પુલ સુધીના રસ્તે અને રોકડીયા હનુમાનથી માધવાણી કોલેજ સુધીના બે.કી.મી.ના બે માળના સ્પ્લીટ ફલાય ઓવરબ્રીજ ઉપર દિવસના સમયે અવારનવાર સ્ટ્રીટલાઇટ ઝળહળતી હોય છે ત્યારે આ તસ્વીર જોતા મનપાની ‘બ્લેક આઉટ’માં બેદરકારી બાદ હવે ‘વ્હાઇટ આઉટ’માં વીજળી નો વ્યય કરવામાં આવતો હોય તેવું જણાઇ રહ્યુ છે. પાવર બચાવવા માટે મહાનગરપાલિકાના તંત્રએ વહેલીતકે કાર્યવાહી કરવી જોઇએ અને વારંવાર જ્યાં આ પ્રકારની બેદરકારી દાખવવામાં આવે છે ત્યાં જવાબદાર એવા મનપાના કર્મચારીઓ સામે પગલા ભરવા જોઇએ તેવી માંગ ઉઠી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech