જામનગર ના એક આસામી સામે રૂ.૧ લાખ ૪૦ હજારના ચેક પરત ફરવા અંગે ની અદાલત માં ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી ને છ માસ ની કેદ ની સજા નો આદેશ કર્યો છે.
જામનગર માં શિવ એન્ટરપ્રાઈઝ નામથી પેઢી ચલાવતા નરેન્દ્ર નાથાભાઈ ગંઢા પાસે થી ભાવેશ વિષ્નુભાઈ કારીયા એ સંબંધદાવે હાથ ઉછીના રૂ.૧ લાખ ૪૦ હજાર મેળવ્યા હતા. તેની પરત ચૂકવણી માટે ભાવેશ કારીયાએ ચેક આપ્યો હતો.
તે ચેક બેંકમાંથી પરત ફર્યાે હતો. તેથી નરેન્દ્રભાઈ એ અદાલત માં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપી ભાવેશ વિષ્નુભાઈ કારીયા ને તક્સીરવાન ઠરાવી છ માસ ની કેદની સજા અને રૂ.૧ લાખ ૪૦ હજાર નો દંડ ફટકાર્યાે છે. દંડની રકમ ફરિયાદીને વળતર પેટે ચૂકવી આપવા અને . દંડ ભરવામાં ન આવે તો વધુ એક મહિનાની કેદની સજા ફટકારાઈ છે. હુકમ સમયે આરોપી હાજર ન હોવાથી તેની સામે વોરંટ કાઢવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech