પોરબંદરના જાડેજા પરિવાર દ્વારા કેદારેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે ૨૧મો બાવનગજની ધ્વજાઆરોહણ કાર્યક્રમ યોજવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હાઇકોર્ટના એડવોકેટ એવા દંપતીના જન્મદિવસ નિમિત્તે સોમવારે આ ધાર્મિક કાર્યક્રમ યોજાનાર છે.
કેદારેશ્ર્વર મહાદેવ મંદિરે આઠમ સોમવારે સવારે ૧૦:૩૦ કલાકે ૫૨ ગજની ધ્વજાનું આયોજન છેલ્લા ૨૦ વર્ષથી કરતા રામભાઇ જાડેજા દ્વારા આ વખતે પણ બાવનગજની ધ્વજારોહણનું આયોજન કરવામાં આવ્યુ છે
જે ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયા અને પૂર્વ કેબીનેટમંત્રી બાબુભાઇ બોખીરીયાના હસ્તે રાખેલ છે તો આ શુભપ્રસંગે સૌ શિવભકતોને ધ્વજારોહણનો લાભ લેવા જણાવાયુ છે.ઉલ્લેખનીય છે કે આયોજક રામભાઇ જાડેજાના પુત્ર કાનન અને પુત્રવધુ વિભૂતિબહેન બંનેનો જન્માષ્ટમીના દિવસે જન્મદિવસ છે અને હાઇકોર્ટ અમદાવાદ ખાતે તેઓ એડવોકેટ તરીકે ફરજ બજાવી રહ્યા છે ત્યારે તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પણ એડવાન્સમા આપવામાં આવી રહી છે અને આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા નિમંત્રણ પાઠવાયુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech