અયોધ્યા સ્થિત રામ મંદિરનું બ્રિટિશ સેટી કાઉન્સિલે સલામતી ધોરણો સાથે બાંધકામનું પરીક્ષણ કર્યા પછી 'સ્વોર્ડ આફ ઓનર' એનાયત કરવામાં આવ્યો છે. રામ મંદિરના ટ્રસ્ટી ડો.અનિલ મિશ્રાએ જણાવ્યું કે બાંધકામ કંપની લાર્સન એન્ડ ટુબ્રોની ટીમને સુરક્ષિત બાંધકામ માટે એવોર્ડ મળ્યો છે.
અયોધ્યામાં લગભગ ૧૮૦૦ કરોડ પિયાના ખર્ચે બની રહેલા ભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય હવે ઝડપથી પૂર્ણતા તરફ આગળ ચાલી રહ્યું છે. અત્યાર સુધી તેના નિર્માણ કાર્યમાં સંપૂર્ણ સલામતી અને સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ માટે ઈંગ્લેન્ડની સંસ્થા બ્રિટિશ સેટી કાઉન્સિલે સુરક્ષા માપદંડો સાથે બાંધકામનું પરીક્ષણ કર્યા બાદ 'સ્વોર્ડ ઓફ ઓનર' એનાયત કયુ છે.
મંદિરના ટ્રસ્ટી ડો.અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે બાંધકામ કંપની લાર્સન એન્ડ ટુબ્રોની ટીમને સુરક્ષિત બાંધકામ માટે એવોર્ડ મળ્યો છે. બાંધકામ દરમિયાન સલામતીના માપદંડોને અનુસરીને બાંધકામનું કામ ચાલી રહ્યું છે પરંતુ કયાંય કોઈ બેદરકારી કે અકસ્માત થયો નથી. યારે મશીનોની સાથે એક હજાર જેટલા મજૂરો પણ બાંધકામના કામમાં લાગેલા છે.રામ મંદિર નિર્માણમાં સેટી મેનેજમેન્ટનું સંપૂર્ણ પાલન કરવામાં આવી રહ્યું છે. વિદેશી સંસ્થાની સેટી કાઉન્સિલ તરફથી મળેલો એવોર્ડ વૈશ્વિક સ્તરે મંદિરના ઉચ્ચ ગુણવત્તાવાળા બાંધકામની વિશ્વસનીયતા અને સન્માન સ્થાપિત કરે છે.
રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષના જણાવ્યા અનુસાર, વિશ્વ સ્તરીય સલામતી ધોરણો અનુસાર બાંધકામનું મૂલ્યાંકન કર્યા પછી જ પ્રતિિત સ્વોર્ડ ઓફ ઓનર એવોર્ડ ઉચ્ચ સ્તરીય સલામત બાંધકામ માટે આપવામાં આવે છે.રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની મંદિર નિર્માણ સમિતિએ પ્રતિિત લાર્સન એન્ડ ટુબ્રોની ટીમને અને ટાટા એન્જિનિયરિંગ સર્વિસિસને બાંધકામની જવાબદારી સોંપી છે, જે સુરક્ષાના ઉચ્ચ ધોરણો અનુસાર મંદિરનું નિર્માણ કરાવી રહી છે.
એવું કહેવામાં આવ્યું હતું કે બ્રિટિશ સેટી કાઉન્સિલ, બાંધકામ પ્રક્રિયા પ્રેકિટસ અને અંતિમ સ્થળ કાર્યનું મૂલ્યાંકન કર્યા પછી, ફકત ફાઇવ સ્ટાર મેળવનારને જ સ્વોર્ડ ઓફ ઓનર એવોર્ડ માટે દાખલ કરવામાં આવે છે. રામ મંદિર નિર્માણ પ્રોજેકટનું નિર્માણ કાર્ય તેના ધોરણોને પૂર્ણ કરે છે અને તેને ફાઇવ સ્ટારથી નવાજવામાં આવ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech