તેલંગાણામાં આજથી જાતિ ગણતરી શરૂ થઈ રહી છે. તેલંગાણા સરકારે જાહેરાત કરી છે કે આ સર્વે લોકોના ઘર સુધી પહોંચશે. તેનો ઉદ્દેશ્ય જાતિના આધારે લોકોના આર્થિક અને સામાજિક ડેટા એકત્રિત કરવાનો છે, જેના આધારે સમાજના તમામ વર્ગોના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત લોકોની ઓળખ કરવામાં આવશે. રાજ્ય સરકારે આ સર્વે એક મહિનામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. સરકારી અધિકારીઓ ઉપરાંત કોંગ્રેસના નેતાઓ પણ આ સર્વેક્ષણમાં સક્રિયપણે ભાગ લેશે, જેથી લોકો પ્રેરિત થઈ શકે અને અધિકારીઓને મદદ કરી શકાય.
દરેક સર્વેયર લગભગ 150 ઘરોની મુલાકાત લેશે અને લોકોને 50 થી વધુ પ્રશ્નો પૂછશે. રાજ્ય સરકારનું માનવું છે કે આ રિપોર્ટના આધારે સમાજના નબળા વર્ગો માટે કલ્યાણ અને વિકાસ યોજનાઓને અસરકારક રીતે અમલમાં મૂકી શકાશે.
શું કહ્યું રાહુલ ગાંધીએ?
આ પહેલની પ્રશંસા કરતા લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે આ માત્ર જાતિ સર્વેક્ષણ નથી પરંતુ વિકાસ માટે એક માળખું બનાવવાનો પ્રયાસ છે. રાજ્ય સરકારના જાતિ સર્વેક્ષણમાં કેટલીક ખામીઓ હોઈ શકે છે, પરંતુ તે દૂર કરવામાં આવશે. રાહુલ ગાંધીએ કહ્યું, આપણે સમજવું પડશે કે ભારતમાં ભેદભાવની સ્થિતિ ગંભીર છે અને તે આપણા બંધારણને પણ અસર કરે છે.
પીએમ મોદી પર સાધ્યું નિશાન
રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ નિશાન સાધતા કહ્યું કે તેમને આશ્ચર્ય છે કે શા માટે વડાપ્રધાને હજુ સુધી સ્પષ્ટ નથી કર્યું કે તેઓ ભારતમાં ભેદભાવ ખતમ કરવા માંગે છે. તેમણે પૂછ્યું કે, કોર્પોરેટ, ન્યાયતંત્ર અને મીડિયામાં કેટલા દલિત, ઓબીસી અને આદિવાસીઓ છે તે પૂછવામાં વડાપ્રધાન કેમ ડરે છે? રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ નોકરશાહી જાતિ વસ્તી ગણતરીની તરફેણમાં નથી જે સરકારી અધિકારીઓ દ્વારા ડિઝાઇન કરવામાં આવી રહી છે. તેના બદલે તેઓ ઇચ્છે છે કે દલિતો, ઓબીસી અને અન્ય પછાત વર્ગો પોતે નક્કી કરે કે આ સર્વેમાં કયા પ્રશ્નો પૂછવા જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech