શેખ હસીના સરકારની હકાલપટ્ટી અને બાંગ્લાદેશમાં કટ્ટરપંથી તત્વોના સત્તામાં આવ્યા બાદ ભારત સાથેના સંબંધો બગડા છે. શેખ હસીના ઢાકા છોડીને ૫ ઓગસ્ટે ભારત આવ્યા હતા, યારે ત્યાં મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર સત્તામાં છે. તેમની સાથે જમાત–એ–ઇસ્લામી સહિતના ઘણા કટ્ટરપંથી જૂથો પણ સરકારનો ભાગ બની ગયા છે અને ત્યાં હિંદુઓ વિદ્ધ હિંસાનો સિલસિલો ચાલુ છે. જેના કારણે બાંગ્લાદેશના ભારત સાથેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. આ દરમિયાન ચીને બંને દેશો વચ્ચે સર્જાયેલી ફોલ્ટ લાઇનનો ફાયદો ઉઠાવવાનું શ કરી દીધું છે.
હાલમાં બાંગ્લાદેશના ઈસ્લામિક પક્ષોના નેતાઓ ચીનના પ્રવાસે છે અને ત્યાંની કોમ્યુનિસ્ટ પાર્ટીની મહેમાનગતિ માણી રહ્યા છે. જાણકારોનું માનવું છે કે અફઘાનિસ્તાન અને ઈરાન જેવા દેશોને પોતાના પક્ષમાં લાવવાની કોશિશ કરી રહેલું ચીન હવે બાંગ્લાદેશને પોતાના પડખામાં રાખવા માંગે છે. આ વ્યૂહરચના હેઠળ તેણે બાંગ્લાદેશની ઈસ્લામિક પાર્ટીઓના નેતાઓને આમંત્રણ આપ્યું છે. તે ભારત સાથેના તણાવનો ફાયદો ઉઠાવવા માંગે છે અને આ તે સમય છે યારે તેનો ઉકેલ આવી શકે છે. શેખ હસીનાની સરકાર ભારતની નજીક ગણાતી હતી પરંતુ હવે સત્તા ઉથલાવી દીધા બાદ બાંગ્લાદેશનું વલણ પણ બદલાઈ
રહ્યું છે.
બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના એક નેતાએ તો ત્યાં સુધી કહ્યું કે બાંગ્લાદેશનું નિર્માણ ખોટું હતું અને તે ભારતના કારણે થયું હતું. એટલું જ નહીં નવી સરકારનું વલણ એ હદે બદલાઈ ગયું છે કે સરકારી ઓફિસોમાંથી બંગબંધુ મુજીબર રહેમાનની તસવીરો હટાવી દેવામાં આવી છે. તેમની પ્રતિમાની તોડફોડ કરવામાં આવી હતી અને હવે રાષ્ટ્ર્રગીત અને ધ્વજને પણ બદલવાની માંગ કરવામાં આવી રહી છે. હવે આ જ તત્વો હાલમાં ચીનના પ્રવાસે છે. ચીન જનારાઓમાં જમાત–એ–ઈસ્લામીના ૧૪ નેતાઓનો સમાવેશ થાય છે. તે એક કટ્ટરવાદી સંગઠન છે, જે ભારત વિદ્ધ તેના મંતવ્યો માટે જાણીતું છે.
પૂર્વ સાંસદ સૈયદ અબ્દુલ્લા મોહમ્મદ તાહિર પણ ચીન જનારા જમાત–એ–ઈસ્લામીના નેતાઓમાં સામેલ છે. જમાત–એ–ઇસ્લામી અને બીએનપી સાથે ચીનના જૂના સંબંધો છે. વૈચારિક રીતે અવામી લીગ ભારતની નજીક રહી છે. આ કારણે તેની સાથે ચીનના સંબંધો સુગમ નહોતા. રસપ્રદ વાત એ છે કે બાંગ્લાદેશના કટ્ટરપંથીઓએ કયારેય ચીનમાં ઉઇગર મુસ્લિમોના અત્યાચાર વિશે વાત કરી નથી. ચીનની એક વ્યૂહરચના બાંગ્લાદેશના નેતાઓને ત્યાં કોન્ટ્રાકટ મેળવવા અને તેના આર્થિક હિતોને પૂર્ણ કરવા માટે છેડછાડ કરવાની છે. તાજેતરમાં ઢાકામાં ચીનના રાજદૂતે પણ ઇસ્લામિક પક્ષોના નેતાઓને આમંત્રણ ભોજન માટે આપ્યું કયુ હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech