પહેલગામની જઘન્ય આતંકવાદી ઘટના બાદ આવી પડનારી કોઈ પણ અનિચ્છનીય પરિસ્થિતિના સામના માટે થઈને ભાવનગરના રાષ્ટ્રભકત નાગરિકો દ્વારા તારીખ ૧૧-૦૫ને રવિવારના રોજ સવારના ૯-૦૦ થી બપોરના ૨-૦૦ સુધી મોતીબાગ ટાઉન હોલ ખાતે ’મહા રક્ત સંજીવની યજ્ઞ’ નું આયોજન કરવામાં આવ્યું હતું.
ભાવનગરના ધરાસભ્ય ઓ તેમજ મેયર અને સ્ટે. ચેરમેન સહિત ચૂંટાયેલા જનપ્રતિનિધિ ઓ, કલેક્ટર અને કમિશ્નર તેમજ ભાવનગર મહાનગર ભાજપના હોદ્દેદારો તેમજ ભાવનગરની વિવિધ વ્યાપારિક, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓના હોદ્દેદારો અને પ્રતિનિધિઓ તેમજ ભાવનગર મહાનગરના દેશપ્રેમી નાગરિકો વિશાળ સંખ્યામાં રક્તદાન કરવા માટે ઉમટી પડ્યા હતા. અને દેશના સીમાડાઓ સાચવતા જવાનો માટે થઈને સાડી ચારસો સીસી કરતા વધુ રક્ત એકઠું કરવામાં આવ્યું હતું. ભાવેણાની જનતાએ સ્વયં શિસ્ત દ્વારા આ મહા રક્તદાન યજ્ઞને સફળ બનાવ્યો હતો, તેમજ સર તખ્તસિંહજી હોસ્પિટલ બ્લડ બેન્ક દ્વારા સેવા આપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech