ભાવનગર જિલ્લામાં 78મા સ્વાતંત્ર્ય દિન અવસરે જિલ્લા કક્ષાની ઉજવણી તળાજાના આઇ. ટી .આઇ ખાતે થવાની છે. 15 ઓગસ્ટે જિલ્લા કલેક્ટર આર. કે. મહેતા તેમજ રાજ્ય કક્ષાના મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રી પરસોત્તમ સોલંકીની ઉપસ્થિતિમાં સ્વાતંત્ર્યદિનની ઉજવણી થશે. સ્વાતંત્ર્યદિનની ઉજવણી સુચારૂં રીતે યોજાય તે માટેની જિલ્લા કલેક્ટર આર.કે.મહેતાની રાહબરી હેઠળ વહીવટી તંત્ર દ્વારા તળાજા આઇ. ટી. આઇ. ખાતે તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. 15 ઓગસ્ટે સવારે તળાજામાં રાજ્યકક્ષાના પશુપાલન મંત્રી પરષોત્તમ સોલંકી,જિલ્લા કલેક્ટર આર. કે.મહેતાની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરવામાં આવશે. પોલીસ પ્લાટુન દ્વારા સલામી અને રાષ્ટ્રગાન, પરેડ નિરીક્ષણ, મંત્રી દ્વારા ઉદબોધન,સાંસ્કૃતિક સહિતનાં વિવિધ કાર્યક્રમો યોજાશે. ધ્વજવંદન વેળાએ ટ્રાફિક પોલીસ, પુરૂષ હથીયારી પોલીસ ટુકડી, મહિલા હથીયારી પોલીસ ટુકડી, હોમગાર્ડ હથિયારી પુરુષ, મહિલા હોમગાર્ડ, ઘોડેસવાર યુનિટ, પોલીસ બેન્ડ પ્લાટુન, એન.સી.સી. સિકસ બટાલિયન યુનિટ, સ્ટુડન્ટ પોલિસ કેડેટ્સ (એસ.પી.સી.) સહિત પ્લટૂનની ટુકડીઓ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો માટે વિદ્યાર્થીઓ ભાગ લેશે. દેશના 78મા સ્વાતંત્ર્ય દિનની તળાજા ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી નિમિત્તે યોજાનારા તમામ કાર્યક્રમોનું રિહર્સલ જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં વહીવટી તંત્ર દ્વારા સુપેરે યોજાયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech