રાજકોટમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલા સુવર્ણભૂમિ કોમ્પલેક્ષમાં રહેતા સિનર્જી હોસ્પિટલના એનેસ્થેટિસ્ટ ડો.જય પટેલે આજરોજ બપોરના દવાનો ઓવરડોઝ લઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકનો સ્ટાફ બનાવ સ્થળે પહોંચ્યો હતો. આજે સવારથી ડો. જય પટેલ કોલ રિસિવ કરતા ન હોય સિનર્જીનો સ્ટાફ અહીં તપાસ કરવા આવ્યો હતો દરમિયાન ડો. જય પટેલે આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું હતું. તબીબના માતા-પિતા હાલ જાત્રાએ ગયા હોવાનું જાણવા મળ્યું છે. ડો. જય પટેલના છુટ્ટાછેડાનો કેસ ચાલતો હોવાનું અને ગૃહ ક્લેશના લીધે તેમણે આ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે.
ડોક્ટર જય પટેલના માતા-પિતા જાત્રાએ ગયા છે અને ડો. જય પટેલ આજે સવારથી ઘરે હતા. તેમણે સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું કે, માતા-પિતાને નહીં પણ આ બનાવ અંગે પહેલા જીજાજીને જાણ કરજો. હાલ પોલીસે સ્યુસાઇડ નોટ કબ્જે કરી મૃતદેહ પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાકીદે બનાવ સ્થળે પહોંચ્યો
આપઘાતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ નાનામવા ગામ પાસે ભીમનગર નજીક આવેલા સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલા સુવર્ણભૂમિ કોમ્પ્લેક્ષમાં વિંગ-બીમાં 6ઠ્ઠા માળે ફલેટમાં રહેતા ડો. જય પટેલે આપઘાત કરી લીધો હોવા અંગેની જાણ થતાં તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાકિદે બનાવ સ્થળે પહોંચ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.
ડો. જય પટેલ સિનર્જી હોસ્પિટલમાં એનેસ્થેટિસ્ટ તરીકે નોકરી કરતા
આપઘાતના આ બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ ડો. જય પટેલ સિનર્જી હોસ્પિટલમાં એનેસ્થેટિસ્ટ તરીકે નોકરી કરતા હોવાનું જાણવા મળ્યું છે. હાલ ડોક્ટરના માતા-પિતા જાત્રા માટે ગયા છે. સિનર્જી હોસ્પિટલ દ્વારા આજરોજ ડોકટર અહીં હોસ્પિટલ ન આવતા તેને ફોન કરવામાં આવ્યા હતાં તે કોલ રિસિવ ન કરતા હોસ્પિટલનો સ્ટાફ અહીં તબીબના ઘરે પહોંચ્યો હતો. દરમિયાન ડોકટર જય પટેલ બેભાન હાલતમાં પડયા હોય 108ને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ 108ની ટીમે અહીં આવી જોઇ તપાસી ડોકટર જય પટેલને મૃત જાહેર કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં દવાનો ઓવરડોઝ લઇ આપઘાત કર્યો હોવાનું માલુમ પડયું છે.
ગૃહ ક્લેશથી કંટાળી પગલું ભરી લીધું
વિશેષમાં જાણવા મળતી વિગતો મુજબ ડોકટર જય પટેલને પત્ની સાથે હાલ છુટ્ટાછેડાની મેટર ચાલતી હોય જેથી ગૃહ કલેશથી કંટાળી જઇ તેમણે આ પગલું ભરી લીધુ હોવાનું જાણવા મળ્યું છે. જોકે, આપઘાતનું સચોટ કારણ જાણવા માટે પોલીસ દ્વારા તબીબના પરિવારજનોની પુછતાછ કરવામાં આવશે ત્યારબાદ આપઘાતનું સાચુ કારણ સામે આવશે.
સ્ટાફનો ફોન રિસિવ ન થતા અજુગતું લાગ્યું
આજે સવારથી ડોક્ટર જય પટેલ પ્લાન્ડ સર્જરીમાં એનેસ્થેસિયા જરૂરી હોવાથી હાજર ન રહેતા સિનર્જી હોસ્પિટલના સ્ટાફ દ્વારા ફોન કરી હોસ્પિટલ બોલાવવામાં આવી રહ્યા હતા. જો કે તેઓનો ફોન રિસીવ થતો ન હતો. થોડીવાર બાદ કંઈક અજુગતું લાગતા સ્ટાફ દ્વારા અન્ય મુખ્ય ડોક્ટરને જાણ કરવામાં આવી હતી. જેથી તેઓએ સ્ટાફને ઘરે જોવા જવા જાણ કરી હતી. ત્યારબાદ સ્ટાફ જય પટેલના ઘરે પહોંચતા ડોક્ટર જય પટેલે એનેસ્થેસિયાનો ઓવરડોઝ લઇ આપઘાત કરી લીધો હોવાનું માલુમ થયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech