છત્તીસગઢના વૈજ્ઞાનિકોએ મેડિકલ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ડો. ભીમરાવ આંબેડકર હોસ્પિટલ, રાયપુરના મલ્ટી–ડિસિપ્લિનરી રિસર્ચ યુનિટ (એમઆરયુ) ના વૈજ્ઞાનિકોએ દેશની પ્રથમ બાયોમાર્કર કીટ વિકસાવી છે, જે પ્રારંભિક તબક્કામાં કોવિડ–૧૯ સંક્રમણની ગંભીરતાની ચોક્કસ આગાહી કરવામાં સક્ષમ છે. આ કીટની મદદથી ડોકટર નક્કી કરી શકશે કે દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવો જરી છે કે પછી તે માત્ર દવાઓ દ્રારા ઘરે જ સાજો થઈ શકે છે. તેમજ આ કીટ પણ જણાવી શકે છે કે, દર્દીને કયા પ્રકારની દવાઓની જર પડશે, જે સારવારને વધુ અસરકારક અને સુરક્ષિત બનાવે છે.
આ સંશોધન કોવિડ–૧૯ની પ્રથમ તરગં દરમિયાન શ કરવામાં આવ્યું હતું અને તેના પરિણામો તાજેતરમાં જર્નલ સાયન્ટિફિક રિપોટર્સમાં પ્રકાશિત થયા હતા. આ કિટને ભારતીય અને આંતરરાષ્ટ્ર્રીય પેટન્ટ માટે પણ અરજી કરવામાં આવી છે. મુખ્ય વૈજ્ઞાનિક ડો.જગન્નાથ પાલ અને તેમની ટીમે આ કીટ વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ડો. પાલે કહ્યું કે કોવિડ રોગચાળા દરમિયાન, તે સમજવું ખૂબ જ મુશ્કેલ હતું કે, કયા દર્દીઓને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવાની જર છે અને જેની સારવાર ઘરે થઈ શકે છે. આ પડકારને ધ્યાનમાં રાખીને, આ બાયોમાર્કર કિટ વિકસાવવામાં આવી હતી, જે કયૂ પીસીઆર (કવોન્ટિટેટિવ પીસીઆર) આધારિત પરીક્ષણ પર આધારિત છે અને ૯૧% સંવેદનશીલતા અને ૯૪% વિશિષ્ટ્રતા સાથે સચોટ પરિણામો પ્રદાન કરે છે. એમઆરયુના વૈજ્ઞાનિક ડો. યોગિતા રાજપૂતે પણ આ સંશોધનમાં મહત્વનું યોગદાન આપ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech