ભાવનગર જિલ્લા માહિતી કચેરી ખાતે ફરજ બજાવતા નાયબ માહિતી નિયામક ચિંતન રાવલની ગાંધીનગર વડી કચેરી ખાતે બદલી થતાં વિદાય સમારોહ અને અમદાવાદ ખાતે ફરજ બજાવતા રેસુંગ ચૌહાણે ભાવનગર ખાતે નાયબ માહિતી નિયામક (ઈ.ચા)નો ચાર્જ સંભાળતા સત્કાર સમારંભ યોજાયો હતો.
આ વિદાય સમારોહમાં નાયબ માહિતી નિયામક ચિંતન રાવલે ભાવનગર ખાતે ૨ વર્ષ અને ૩ મહિના જેટલા ટૂંકા સમયગાળા દરમિયાન તેમણે કરેલી કામગીરીના સંસ્મરણો વાગોળ્યા હતા. આ વેળાએ અમદાવાદ પ્રાદેશિક કચેરીના નાયબ માહિતી નિયામક હિમાંશુ ઉપાધ્યાય, સહાયક માહિતી નિયામક દિવ્યેશ વ્યાસ, ભાવનગર જિલ્લા માહિતી કચેરીના અધિક્ષક યુ.જે.બરાળ,માહિતી મદદનીશ કૌશિક શીશાંગીયા, જુનિયર કલાર્ક જયરાજસિંહ પરમાર તેમજ ફેલો અશોકભાઇ મકવાણાએ ચિંતન રાવલ સાથેની યાદગાર પળોને યાદ કરી તેમની કાર્યશૈલીને બિરદાવી હતી. ચિંતન રાવલ અને રેસુંગ ચૌહાણને શુભેચ્છા પાઠવવાની સાથે ભવિષ્યમાં તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.
કાર્યક્રમનું સંચાલન માહિતી મદદનીશ કૌશિક શીશાંગીયાએ કર્યું હતું. આ અવસરે કચેરીના અધિક્ષક યુ.જે.બરાળ, સિનિયર સબ એડીટર એસ.એન.મકવાણા, માહિતી મદદનીશ કૌશિક શીશાંગીયા, સહાયક અધિક્ષક જે.કે. બાંભણીયાએ ચિંતન રાવલને શાલ ઓઢાડી તથા શ્રી ફળ આપી શુભેચ્છા પાઠવી હતી. વિદાય સમારોહમાં ભાવનગર જિલ્લા માહિતી કચેરીના કર્મીઓ તેમજ બોટાદ કચેરીના અમિતભાઇ મહેતા અને વિજયભાઇ મહેતા ઉપસ્થિત રહ્યાં હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech