અમરેલી એસટી વિભાગ દ્વારા સતતપણે અન્યાયનો ભોગ બનતા કોડીનાર તાલુકાને લોકસભાની ચૂંટણીની આચારસંહિતાના થોડા કલાકો પુર્વે સાત નવી બસોની ફાળવણી કરવામાં આવતા કોડીનાર તાલુકાની જનતાની મુસાફરી થોડી સુખદાયક બની છે. તાલુકા પત્રકારો તથા તાલુકાના જાગૃત નાગરિકો દ્વારા કોડીનાર તાલુકાને અમરેલી એસટી વિભાગ દ્વારા માત્રને માત્ર જુની બસોની સતતપણે ફાળવણી કરાતી હોવાની વાતને તાલુકાના ધારાસભ્યથી માડી વાહનવ્યવહાર મંત્રી સુધી રજુઆતો કરવામાં આવી હતી. ત્યારે કોડીનાર તાલુકાને આખરે સાત નવી બસોની ફાળવણી કરવામાં આવી છે. આ બસો કોડીનારથી કૃષ્ણનગર જામનગર, વડોદરા દિવ-રાજકોટ રૂટ ઊપર ફાળવણી કરવામાં આવી છે. ત્યારે કોડીનાર-વડોદરા સાંજની બસને બે કલાક મોડી ઊપાડી સ્લિપર કોચ વાહનની ફાળવણી કરવાની વાત પર કોઈ ધ્યાન અપાયું નથી.
જ્યારે બીજી તરફ છેલ્લા છ મહિનામા જ શરૂ થયેલ વડીયા-સુરતમા સ્લિપર કોચ વાહનની ફાળવણી કરવામાં આવી છે. આ ઊપરાત હજુ છ મહીના પહેલાં જ અમરેલી-નાસિક રૂટમાં નવું વાહન ફાળવેલ હોવા છતાં એ રૂટમાં સ્લીપર કોચ વાહન ફાળવી દેવામાં આવ્યું છે.
વડીયા કે અમરેલી વિસ્તારની સુવિધા વધે તેમા કોડીનાર તાલુકાની જનતા ખુશ જ છે. પરંતુ કોડીનારની માગણીઓ કચરાપેટીમાં તથા અન્ય તાલુકાને માગે એટલે તરત સુવિધા એવું ન હોવું જોઈએ. કોડીનારથી વડોદરા રૂટમા વહેલી તકે સ્લિપર કોચ તથા કોડીનારથી ઓખા, જખૌ, અંબાજી, તથા છોટાઉદેપુરની વરસો જુની માગણી વહેલી તકે પૂરી કરે તથા કોડીનાર પંથકના તમામ બંધ રૂટો વહેલી તકે શરૂ થાય તેવી અપેક્ષા તાલુકાની જનતા રાખી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech