ચેક આપ્યા બાદ રોકડ રકમ મેળવીને કરાયો વિશ્વાસઘાત
દ્વારકામાં રહેતા એક વિપ્ર યુવાનને વિશ્વાસમાં લઈ અને રૂપિયા ૪.૪૪ લાખની છેતરપિંડી કરવા સબબ ચોક્કસ મોબાઈલ નંબર ધરાવતા એક શખ્સ સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકા પોલીસ મથકમાં દ્વારકાના હોળી ચોક વિસ્તારમાં રહેતા અને યજમાનવૃત્તિ કરતા તેજસભાઈ મહેન્દ્રભાઈ ઠાકર નામના ૩૩ વર્ષના બ્રાહ્મણ યુવાને મોબાઈલ નંબર ધરાવતા ભૈલુભાઈ નામના શખ્સ સામે નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ફરિયાદી તેજસભાઈ તથા તેમની સાથે અન્ય બ્રાહ્મણ આસામીઓને બ્રહ્મ ભોજન કરાવવાનું તેમજ બ્રાહ્મણોને દક્ષિણા આપવાની વાત કરી ફરિયાદી તેમજ સાહેદોને આરોપીએ વિશ્વાસમાં લીધા હતા. ત્યાર બાદ તેઓને અલગ અલગ ચેક આપી અને તેઓ પાસેથી અલગ અલગ કુલ રૂપિયા ૪,૪૪,૦૦૦ મેળવી લેવામાં આવ્યા હતા.
આ રીતના તેજસભાઈ તેમજ અન્ય સાહેદો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવા સબબ દ્વારકા પોલીસ મથકમાં ભૈલુભાઈ સામે આઈપીસી કલમ ૪૦૬ તથા ૪૨૦ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. જે અંગે આગળની તપાસ પી.એસ.આઈ. આર.પી. રાજપુત ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech