ખંભાળિયામાં જામનગર માર્ગ પર આવેલી જાણીતી માનવ સેવા સમિતિ સંચાલિત એલ પી બદીયાણી હોસ્પિટલ ખાતે આગામી રવિવાર તારીખ 26 જાન્યુઆરીના રોજ સવારે 9 થી 11:30 સુધી વિના મૂલ્યે નેત્ર નિદાન, સારવાર, દવા વિતરણ તેમજ શસ્ત્રક્રિયા કેમ સાથે સર્વરોગ નિદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
દાતા શ્રી સુરેન્દ્રભાઈ તથા શ્રીમતી લલીતાબેન પટેલ (હ. અરવિંદભાઈ બદીયાણી - ટોરેન્ટો કેનેડા) તેમજ દાતાઓના આર્થિક સહયોગથી યોજવામાં આવેલા આ કેમ્પમાં રાજકોટની જાણીતી શ્રી રણછોડદાસજી બાપુ હોસ્પિટલના ડોક્ટરો અને ટેકનીશીયનો તેઓની સેવાઓ આપશે. ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને આ સ્થળેથી રાજકોટ લઈ જઈને વિનામૂલ્યે નેત્રમણી સાથેનું ઓપરેશન કરી આપવામાં આવશે.
આ સાથે યોજાયેલા સર્વરોગ નિદાન કેમ્પમાં અહીંના નિષ્ણાંત ડો. નિલેશભાઈ રાયઠઠ્ઠા દર્દીઓને તપાસીને દવાઓ આપશે. આ કેમ્પનો લાભ લેવા ખંભાળિયા શહેર તથા આસપાસના દર્દીઓને સંસ્થાના પ્રમુખ ધીરેનભાઈ બદીયાણી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech