કથિત ધર્માંતરણની વિગત મળતા ધ્રોલ હિન્દુ સેના પ્રમુખ તથા આગેવાનો દોડી ગયા હતા: પોલીસને જાણ કરાઇ
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના જશાપર ગામમાં ક્રિશ્ર્ચિયન મિશનરી દ્વારા નાતાલ પર્વને અનુલક્ષીને કાર્યક્રમ આયોજીત થયો હતો જેમાં હિન્દુ સેનાએ કથિત ધર્માંતરણને લગત પ્રવૃતિઓને પ્રયાસો આક્ષેપ સાથે તુરંત સ્થળ પર દોડી જઇ કાર્યક્રમ અટકાવ્યો હતો. જયારે પોલીસને પણ જાણ કરાઇ હતી. સુમાહિતગાર સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ જોડિયા તાલુકાના જશાપર ગામે બુધવારે નાતાલ નિમિતે ક્રિશ્ર્ચિયન મિશનરી દ્વારા સ્થાનિક શ્રમિકો સહિતના લોકોને એકત્રિત કરી લગભગ 250 થી 300 લોકો માટે પાર્ટીનું આયોજન નાતાલ ઉજવણી અર્થે કરાયું હતું.
જે દરમ્યાન કથિત ધર્માંતરણને લગતી પ્રવૃતિ થયાના સમાચાર મળતા ગુજરાત હિન્દુ સેના પ્રમુખ પ્રતિક ભટ્ટના કહેવાથી ધ્રોલનાં હિન્દુ સેના પ્રમુખ ગૌરવ મહેતા અને તેની સાથે સૈનિકો તુરંત જ સ્થળ પર દોડી ગયા હતા. તેઓએ કાર્યક્રમ રદ કરાવી પોલીસને પણ જાણ કરી હતી.કથિત આ પ્રવૃતિને અટકાવી હોવાનું તેમજ આવા લોકોને ખુલ્લી ચેતવણી પણ આપી હોવાની તેઓ દ્વારા જણાવાયું છે.
આ ઘટનાક્રમને કારણે સ્થળ પર મોડી સાંજે ભારે અફડાતફડી સાથે દોડધામ મચી હોવાનું સામે આવ્યું હતું. બનાવની જાણ થતાં પોલીસની ટીમ પણ દોડી ગઇ હોવાનું સુત્રોમાંથી જણાવ્યું છે. હિન્દુ સેના પ્રમુખ દ્વારા જણાવાયું છે કે અમે આ કાર્યક્રમ અટકાવી પોલીસને જાણ કરી હતી. નાતાલ નિમિતે આદિવાસી લોકોને એકઠા કરી ઇસુ ભગવાનની પ્રાર્થના અને ભોજન સમારંભ રાખ્યો હોવાની માહિતી મળી હતી. અમોએ દોડી જઇને કાર્યક્રમ અટકાવી પોલીસને જાણ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech