મતદાનની પ્રક્રિયા પૂરી થયા પછી આજે 150 ફૂટ રીંગ રોડ પર આવેલા ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાયર્લિય ખાતે પત્રકાર પરિષદમાં રાજકોટ બેઠકના ભાજપ્ના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા એ ક્ષત્રિય સમાજની વધુ એક વખત માફી માગી છે.પત્રકારો સાથેની વાતચીતમાં રૂપાલા એ જણાવ્યું હતું કે મારું આજનું નિવેદન અને માફી રાજકીય પ્રેરિત નથી. મત માટેનો અને રાજનીતિનો આ વિષય નથી. મેં ખરેખર ભૂલ કરી હતી અને તેની હું માફી માગું છું. ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સમાજની માતૃશક્તિ મને માફ કરે તેવી મારી માંગણી છે.
ક્ષત્રિય સમાજ બાબતે મારા નિવેદનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ સાંભળવું પડ્યું હશે. આ બાબત મારા માટે ઘણી પીડાદાયક છે. હું નમ્રતાપૂર્વક મારી ભૂલ બદલ ક્ષત્રિય સમાજ અને તેની નારી શક્તિની માફી માગું છું. સમગ્ર રાષ્ટ્ર આજે વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ભવિષ્યમાં ઇતિહાસને આ સમાજ માટે કશું કહેવાનું ન થાય અને મારી માફીને માન્ય રાખી વિકાસની કેડીમાં ક્ષત્રિય સમાજ પણ અગ્રેસર બને તે જરૂરી છે તેમ પણ રૂપાલા એ જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે મારી ભૂલના કારણે મારા પક્ષને અને મારા સાથીદારોને જે સહન કરવાનું આવ્યું છે તેના માટે હું તેમની પણ માફી માગું છું. મારી 40 વર્ષની રાજકીય અને સામાજિક કારકિર્દીના સમયમાં આ દોર સૌથી વધુ કઠિન, કષ્ટદાયક અને પીડાદાયક મારા માટે બની રહ્યો છે. ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂરી થઈ તેનો મને આનંદ છે. જ્યારે આ ઘટના બની તે બાદ તુરત જ મેં ક્ષત્રિય સમાજની વન ટુ વન માફી માગી હતી. સમાજની વચ્ચે જઈને પણ માફી માગી છે. અમારા પ્રદેશ પ્રમુખ પાટીલે પણ દિલગીરી વ્યક્ત કરી છે અને હવે જ્યારે મતના રાજકારણની કે રાજનીતિની કોઈ વાત નથી ત્યારે હું નિખાલસતાપૂર્વક માફી માંગીને ક્ષત્રિય સમાજને આ વિષય ભૂલી જવા માટે અનુરોધ કરું છું. અત્યાર સુધી મારા નિવેદનો અને વક્તવ્ય પાર્ટી માટે એસેટ હતા, પ્રોત્સાહક હતા. પરંતુ મારા આ એક નિવેદનને કારણે પાર્ટી ચિંતામાં મુકાઈ ગઈ તેની સઘળી જવાબદારી મારી વ્યક્તિગત છે. હું પણ માણસ છું, મારાથી પણ ભૂલ થઈ જાય, માણસ માત્ર ભૂલને પાત્ર ગણીને મને માફી આપવી જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech