મહિલા પોલીસ માથકમાં ફરિયાદ નોંધાવાઈ
જામનગરમાં મહાવીર સોસાયટીમાં રહેતી એક પરણીતાને તેણીના શ્વસુર પક્ષના સભ્યોએ ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢી હોવાથી તેણીએ મહિલા પોલીસ મથકનો સંપર્ક સાધ્યો છે, અને સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં સંકર ટેકરી સિદ્ધાર્થ કોલોની માં રહેતી સવિતાબેન વશરામભાઈ મકવાણા નામની પરણીતાના લગ્ન ૨૦૦૯ ની સાલમાં જામનગરમાં મહાવીર સોસાયટીમાં રહેતા હસમુખ મનજીભાઈ રાઠોડ સાથે થયા હતા. લગ્નની શરૂઆતમાં સારી રીતે રાખ્યા પછી નાની નાની બાબતોમાં ઘરકામ બાબતે વાંક કાઢીને સવિતાબેન ને તેણીના સાસરીયાઓ દ્વારા મારકૂટ કરી ત્રાસ ગુજારવામાં આવતો હતો. અને તાજેતરમાં ઘરમાંથી હાંકી કાઢવામાં આવી હતી.
આથી તેણીએ જામનગરના મહિલા પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને પોતાના સાસરીયાઓ પતિ હસમુખભાઈ મનજીભાઈ રાઠોડ, સાસુ મણીબેન મનજીભાઈ રાઠોડ, સસરા મનજીભાઈ લાલજીભાઈ રાઠોડ, નાણંદ રેખાબેન દીપકભાઈ ચૌહાણ, અને નણદોયા દિપકભાઈ કારાભાઈ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech