તું હી રામ પ્યારે રામના નાદથી ગુંજતી તેમજ બાર જવાત્માઓની ચેતન સમાધી આવેલ છે તેવી અતિ પ્રાચીન અને પૌરાણીક એવી સંત શ્રી નાથજીદાદા ની પાવનકારી તેમજ સંત શ્રી ઉપવાસી બાપુની તપોભૂમી દાણીધાર ધામને આંગણે પધારેલ શ્રી રામ જન્મભૂમિ તિર્થક્ષેત્ર અયોઘ્યાથી પુજીત અક્ષત કળશની યાત્રા અનો પૂજન તા.૪/૧ના રોજ શ્રી શ્રી ૧૦૦૮ મહંત સુખદેવદાસજી બાપુ દ્વારા કરવામાં આવેલ, દાધીધાર ધામમાં શ્રી નાથજી દાદા અને રામ મંદિરમાં કળશ પધરાવી પુજન કરવામાં આવેલ.
મહંત શ્રી સુખદેવદાસજી બાપુ ગુ શ્રી ચત્રભુજદાસજી બાપુ (શ્રી ઉપવાસી બાપુ) તથા પ્રમુખ ભાવસિંહજી ડાભી, દાદા ટ્રસ્ટ અને શ્રીનાથજી દાણીધાર ગૌ શાળા ટ્રસ્ટીગણ તેમજ આસપાસના મુળીલા, ટોડા, નપાણીયા ખીજડીયા, ખરેડી, બામણ ગામ તથા કાલાવડ તાલુકામાંથી ઉપસ્થિત ગ્રામજનોએ કળશ પુજન અને આ દિવ્ય શોભાયાત્રાના કાર્યક્રમનો લાભ લીધો હતો.
આ પ્રસંગે ખાસ પધારેલ વિશ્ર્વ હિન્દુ પરીષદના લાખાભાઇ વેકરીયા, રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘના ખીમજીભાઇ વેકરીયા, લખમણભાઇ ફળદુ, રાહુલભાઇ જણકાંતનું શાલ ઓઢાડી સન્માન કરેલ. આ કાર્યક્રમમાં ૧૫૦૦થી વધુ ભાઇઓ-બહેનો, હરીભકતો સેવકગણ હાજર રહ્યા હતાં, જેમણે દાણીધાર ધામમાં પ્રસાદ લીધો હતો તેમ ટ્રસ્ટી શિવુભા ભાટીની યાદીમાં જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech