ખંભાળિયા તાલુકામાં રહેતા એક પરિવારની સગીર વયની પુત્રીને તા. 28-12-2022 ના રોજ મૂળ સોનારડી ગામના રહીશ અને હાલ સોઢા તરઘડી ગામના જયરાજસિંહ રામસંગ જાડેજા નામના 24 વર્ષના શખ્સે આ સગીરાને લલચાવી, ફોસલાવીને બદકામ કરવાના ઈરાદાથી લગ્ન કરવાની લાલચ આપીને તેણીના માતા-પિતાના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરીને લઈ ગયા બાદ તેના દ્વારા સગીરા સાથે શરીર સંબંધ બાંધી, દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
આ સમગ્ર પ્રકરણ અંગે સગીરાના પરિવારની ફરિયાદ પરથી પોલીસે આરોપી જયરાજસિંહ રામસંગ જાડેજા સામે આઈપીસી કલમ 363, 366, 376 તથા પૉકસો એક્ટની જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધી, કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું.
આ પ્રકરણમાં અહીંના નામદાર એડિશનલ સેશન્સ જજ શ્રી એસ.જી. મનસુરી સમક્ષ કેસ ચાલી જતા આ કેસમાં ભોગ બનનાર, ફરિયાદી અને મેડિકલ ઓફિસરની જુબાની તેમજ વિવિધ આધાર પુરાવાઓ સાથે સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા કરવામાં આવેલી દલીલોને ગ્રાહ્ય રાખી, નામદાર એડિશનલ સેશન્સ જજ શ્રી મનસુરી દ્વારા આરોપી જયરાજસિંહ રામસંગ જાડેજાને તકસીરવાન ઠેરવીને દસ વર્ષની સખત કેદ તથા જુદા જુદા ગુનાઓમાં કુલ રૂ. 17,500 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
આ સાથે ભોગ બનનાર સગીરાના સામાજિક, આર્થિક અને માનસિક પુનર્વસન માટે તેણીને વિટનેસ કમ્પન્સેશન સ્કીમ હેઠળ રૂપિયા એક લાખનું વળતર ચૂકવવા માટે પણ હુકમ કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech