કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના તાલીમાર્થી ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના મામલાને લઈને લોકોમાં રોષ છે. આ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. સીબીઆઈએ આજે સુપ્રીમ કોર્ટમાં આ કેસનો સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યો છે. છે. આ રિપોર્ટ દ્વારા કોર્ટને જણાવવામાં આવશે કે અત્યાર સુધી તપાસ ક્યાં સુધી પહોંચી છે.
હડતાળ કરનારા તબીબોએ કામ પર પરત ફરવું પડશે
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે, હડતાળ કરનારા ડોક્ટરોએ કામ પર પાછા ફરવું પડશે. લોકો તમારી રાહ જોઈ રહ્યા છે. તબીબોની હડતાળને કારણે હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અસર થશે.
કોલકાતા કેસને ઢાંકવાનો પ્રયાસ કરાયોઃ CBI
સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલા સ્ટેટસ રિપોર્ટમાં કહ્યું કે, કોલકાતાની ઘટનામાં છેડછાડ કરવામાં આવી છે. મામલાને ઢાંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અંતિમ સંસ્કાર બાદ FIR નોંધવામાં આવી હતી.
હું ડોક્ટરોની સમસ્યાઓથી વાકેફ છુંઃ CJI
કોલકાતા કેસની સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ તુષાર મહેતાએ કહ્યું કે, ડોક્ટર 36-36 કલાક કામ કરી રહ્યા છે. કોર્ટ તરફથી સુરક્ષાની ખાતરી મળશે તો ડોક્ટરો સંતુષ્ટ થશે. તેમને તેમના વિચારો વ્યક્ત કરવાની તક આપવી જોઈએ. તેના પર CJI ચંદ્રચુડે કહ્યું કે 36 થી 48 કલાક સુધી ડોક્ટરોની ડ્યુટી યોગ્ય નથી. આપણે જાણીએ છીએ કે ડોકટરો દરરોજ 36 કલાક કામ કરે છે. મારા પરિવારનો એક સભ્ય બીમાર હતો ત્યારે હું પોતે સરકારી હોસ્પિટલમાં જમીન પર સૂઈ ગયો હતો. અમને ઘણા ઈમેલ મળ્યા છે જેમાં કહેવામાં આવ્યું કે, ડોક્ટરો પર ઘણું દબાણ છે. CJIએ કહ્યું કે, જો અમે તમામ હિતધારકો પાસેથી પ્રતિનિધિત્વ મેળવવાનું શરૂ કરીશું તો મામલાને યોગ્ય રીતે હેન્ડલ કરવું શક્ય નહીં બને. સમિતને પહેલા નિર્ણય લેવા દ્યો. સમિતિ સુનિશ્વિત કરશે કે, ડોક્ટરો અને ઈન્ટર્ન્સની ચિંતાઓનું સમાધાન કરવામાં આવશે.
આ સાથે ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશન (FAIMA)એ નેશનલ ટાસ્ક ફોર્સની ભલામણો લાગુ ન થાય ત્યાં સુધી ડોકટરોને વચગાળાના રક્ષણની માંગ કરી છે અને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ પહેલા 20 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડના નેતૃત્વમાં જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાએ આ કેસની સુનાવણી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 200ને પાર, એક્ટિવ કેસ 1100 થી વધુ
June 09, 2025 09:10 PMLC મેળવતા પહેલાં વિદ્યાર્થીઓ અને વાલીઓ આ જાણો! જૂન 2025થી અટક પાછળ લખવી પડશે...
June 09, 2025 08:18 PMધુમાડાના ગોટેગોટા! રાજુલામાં ડાયપર કારખાનામાં લાગી ભીષણ આગ, ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે
June 09, 2025 07:58 PM5 ગુનેગાર… 3 રાજ્યોની પોલીસ અને 3 નિવેદનો: કેવી રીતે ગુંચવાઈ રાજા રઘુવંશીના મર્ડરની કહાની?
June 09, 2025 07:52 PMછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech