મેઘાલય પોલીસે મંગળવારે રાજા રઘુવંશી હત્યા કેસમાં ઝડપાયેલા સોનમ રઘુવંશી, રાજ કુશવાહ સહિત પાંચ આરોપીઓને આજે શિલોંગની કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસે તેમની પૂછપરછ માટે રિમાન્ડની માંગણી કરતા, કોર્ટે તમામ આરોપીઓને 8 દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપ્યા છે. રિમાન્ડ દરમિયાન પોલીસ આરોપીઓને આમને-સામને બેસાડીને પૂછપરછ કરી શકે છે અને સીન રિક્રિએશન પણ કરાવવામાં આવે તેવી શક્યતા છે, જેથી હત્યા પાછળના રહસ્યો પરથી પડદો ઉંચકાય.
ઉલ્લેખનીય છે કે, રાજા અને સોનમના લગ્ન 11 મેના રોજ થયા હતા અને તેઓ 21 મેના રોજ શિલોંગ પહોંચ્યા હતા. તેમણે છેલ્લે 23 મેના રોજ તેમના પરિવાર સાથે વાત કરી હતી. રાજાનો મૃતદેહ 2 જૂનના રોજ મળી આવ્યો હતો. જ્યારે 17 દિવસથી ગુમ સોનમ એક દિવસ પહેલા, 9 જૂનના રોજ ગાઝીપુરમાંથી મળી આવી હતી, ત્યારબાદ જ હત્યાનો આ ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ કેસમાં વધુ વિગતો રિમાન્ડ દરમિયાન બહાર આવે તેવી શક્યતા છે.
શિલોંગ પોલીસનો દાવો
શિલોંગ એસપી વિવેક શ્યામે જણાવ્યું હતું કે, 'રાજના સાથી કોન્ટ્રાક્ટ કિલર્સે કબૂલાત કરી છે કે સોનમ 22 મેના રોજ શિલોંગ પહોંચી હતી. રાજાને મારવાનો પ્લાન-A આ દિવસનો હતો. આ માટે સોનમે નક્કી કર્યું હતું કે તે રાજાને પર્વત પર લઈ જશે.'
શિલોંગ પોલીસે દાવો કર્યો હતો કે ત્રણેય હત્યારાઓ પણ ત્યાં હાજર રહેશે. આ દરમિયાન સેલ્ફી લેવાના બહાને તે રાજાને ખાડામાં ધકેલી દેશે, પરંતુ વરસાદ અને અંધારાને કારણે પ્લાન-A રદ કરવો પડ્યો.
આ પછી પ્લાન-B પર કામ કરવામાં આવ્યું. આમાં રાજાને બીજા દિવસે પર્વત પર લઈ જવામાં આવ્યો અને તેની હત્યા કરવામાં આવી. હત્યા બાદ બધા આરોપીઓ ગુના સ્થળથી 11 કિમી દૂર ભેગા થયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદ એરપોર્ટ બંધ થવાથી મુસાફરો પરેશાન, રેલવેએ આ બે શહેરો માટે ખાસ ટ્રેનો શરૂ કરી
June 12, 2025 09:52 PMઅમદાવાદમાં વિમાન ક્રેશ કેમ થયું? અમેરિકાથી આવ્યો મોટો રિપોર્ટ
June 12, 2025 09:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech