જામનગરમાં ૩૦ વર્ષ પહેલા બોગસ ડ્રાફટ બચાવવા અંગેનો કેસ ચાલી જતા જામનગર કોર્ટે આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડિ મુકવા હુકમ કરતો ચુકાદો આપવામાં આવેલ છે.
આ બનાવની વિગતો એવી છે કે સને ૧૯૯૫ માં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, મુરસન (યુ.પી.) બ્રાંચના જુદા જુદા ડિમાન્ડ ડ્રાફટો વટાવવા જામનગર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં જુદા જુદા ધારકોએ ખાતા ખોલાવી નાખવામાં આવેલા અને રકમો ઉપાડવામાં આવેલી પરંતુ ક્રોસ વેરીફીકેશન થતાં આ ડિમાન્ડ ડ્રાફટો બોગસ હોવાનું માલુમ પડતા બેંકે જામનગર પોલીસ સ્ટેશનમાં કુલ-૧૦ વ્યકિતઓ સામે ફરિયાદ કરેલ હતી જે અંગેનો કેસ અત્રેની કોર્ટમાં ચાલતો હતો.
દરમ્યાન બેંક તરફથી દસ્તાવેજો અને પુરાવા રજુ થયેલા જે પર્યાપ્ત નહોતા આ કેસમાં આરોપી પૈકી વિપુલ કાંતિલાલ મહેતા સામે ખાતુ ખોલાવ્યાનો અને અન્ય આરોપી ઈન્દુલાલ બાબુભાઈ ખવાસ સામે ઓળખાણ આપવાનો આક્ષેપ હતો. આમ આ કેસમાં બન્ને પક્ષોની દલીલો, દસ્તાવેજો પુરાવા ધ્યાને લઈ નામ. અદાલતે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકેલ છે. આ કેસમાં આરોપી તરફે વકીલ અશ્વિન બી. મકવાણા અને નેહા બી. દેસાઈ રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech