રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ ડ્રાફ્ટ જંત્રીના દરો સામે લોકોનો ભારે પ્રતિસાદ સાંપડ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યભરમાંથી ઓનલાઈન અને ઓફલાઈન માધ્યમથી કુલ 7200થી વધુ વાંધા અરજીઓ દાખલ કરવામાં આવી છે. આ અરજીઓમાં કેટલાક વિસ્તારોમાં જંત્રીના દરો ઘટાડવાની માંગણી કરવામાં આવી છે, તો કેટલાક કિસ્સાઓમાં જંત્રી વધારવા માટે પણ રજૂઆતો કરવામાં આવી છે.
સરકાર દ્વારા આ તમામ અરજીઓની સમીક્ષા કરવા માટે જિલ્લા કક્ષાએ સમિતિઓની રચના કરવામાં આવી છે. આ સમિતિઓ દ્વારા અરજીઓનું વિશ્લેષણ કરી તેનો અહેવાલ રાજ્ય સરકારને સોંપવામાં આવશે. રાજ્ય સરકાર આ અહેવાલોની સમીક્ષા કર્યા બાદ જંત્રીના દરો અંગે અંતિમ નિર્ણય લેશે.
મહેસુલ વિભાગ દ્વારા જાહેર કરાયેલ નવા જંત્રી અંતર્ગત મુસદ્દારૂપ જંત્રી-2024 માટે નાગરિકો પાસેથી વાંધા સૂચનો મંગાવવામાં આવ્યા હતા. આ પ્રક્રિયા અંતર્ગત નાગરિકોને ઓનલાઈન અને ઓફલાઈન માધ્યમથી અરજી કરવાની તક આપવામાં આવી હતી.
વાંધા અરજી કરવાની છેલ્લી તારીખ:
જે નાગરિકો હજુ પણ જંત્રીના દરો સામે વાંધો ઉઠાવવા માંગતા હોય, તેઓ આગામી 20 જાન્યુઆરી 2025 સુધી પોતાની અરજી દાખલ કરી શકશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech