રાજકોટ ખાતે ટીઆરપી ગેમ ઝોનમાં શનિવારે સર્જાયેલા ગોઝારા અગ્નિકાંડમાં ૨૮ જિંદગીઓ જીવતી ભુંજાઈ ગઈ હતી અને આ હતભાગીઓમાં વેરાવળના ધોબી યુવક વિવેક અશોકભાઈ દુશારા અને તેના પત્ની ખુશાલીનો પણ સમાવેશ હતો. આજે ચાર દિવસ બાદ ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ બંન્ને પતિ-પત્નીના મૃતદેહ પરિવારને સોંપવામાં આવતા મોડી રાત્રીના મૃતદેહો વેરાવળ ખાતે લાવવામાં આવ્યા હતા. ત્યારે વ્હાલસોયાના અકાળે અવસાની અજાણ મૃતક વિવેકની માતાને સમાચાર મળતાની સો જ હતપ્રભ બની ગયા હતા અને પોતે પણ મરી જવા માટે વ્યાકુળ નજરે પડ્યા હતા. કાળજુ કંપાવી દે તેવા દ્રશ્ય મૃતકના પરિવારજનોના જોવા મળ્યા હતા. મૃતક વિવેકની નાની બહેન કાળો કલ્પાંત કરી રહેલ કે મારો વીરો મને છોડીને ચાલ્યો ગયો. આ ઘટનાની કરુણતા તો એવી છે કે મૃતક વિવેકના હજુ બે માસ પૂર્વે જ રાજકોટની ખુશાલી મોડાસીયા સો લગ્ન યા હતા. લગ્ન જીવનમાં હજુ પા...પા પગલી માંડતા આ નવયુગલ અકાળે અવસાન સો કાળનો કોળિયો બની ગયા હતા. મૃતક વિવેકના પરિવારમાં માતા-પિતા અને નાની બહેન છે જે આજે કાળો કલ્પાંત કરી રહ્યા છે. મોડી રાત્રીના ૧૧ વાગ્યા આસપાસ બંન્નેના મૃતદેહો વેરાવળ ખાતે તેમના નિવાસ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં હિન્દુ શા મુજબ વિધિ કર્યા બાદ સોમનાના ત્રિવેણી સંગમ ખાતે બંનેના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. ત્યારે મોટી સંખ્યામાં શહેરીજનો અને સંબંધીઓ ઉપસ્તિ રહ્યા હતા. મૃતક વિવેક મેરેજ સર્ટિફિકેટ માટે રાજકોટ ગયેલ પરંતુ પરિવારજનોને મળ્યું વિવેકનું ડે સર્ટિફિકેટ મળતા ગમગીની ભર્યો માહોલ પ્રસરી ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech