ક્રૂઝની મજાના શોખીનો માટે હવે ગોવા સુધી લાંબા થવાની જરૂર નહી પડે,જો બધું સમું સુતરું પાર પડ્યું તો યમુના નદીમાં લગભગ 7 થી 8 કિલોમીટર સુધી ક્રૂઝની સફરનો આનંદ લેવા મળશે . દિલ્હીમાં નદી પર્યટનને પ્રોત્સાહન આપવા માટે, દિલ્હી પર્યટન અને પરિવહન વિકાસ નિગમ એ તેનું ટેન્ડર બહાર પાડ્યું છે.દિલ્હી સરકાર ફક્ત યમુનાની સફાઈ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી નથી, પરંતુ પર્યટનને પ્રોત્સાહન આપવા માટે નવા પગલાં પણ લઈ રહી છે. આ યોજના હેઠળ, વઝીરાબાદ બેરેજથી જગતપુર ગામ સુધી ક્રુઝ સેવા ચલાવવામાં આવશે, જે દિલ્હીવાસીઓને તેમના પોતાના શહેરમાં એક નવું પર્યટન આકર્ષણ આપશે.
ક્રુઝ ૩૬૫ દીવસમાંથી ૨૭૦ દિવસ કાર્યરત રહેશે
માહિતી અનુસાર, આ ક્રુઝ સેવા હેઠળ, યમુના નદીમાં લગભગ 7-8 કિલોમીટરની મુસાફરી કરવામાં આવશે. દિલ્હી ટુરિઝમ એન્ડ ટ્રાન્સપોર્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન એ આ પ્રોજેક્ટ માટે ટેન્ડર બહાર પાડ્યું છે અને દિલ્હી જળ બોર્ડ અને સિંચાઈ અને પૂર વિભાગ તરફથી જરૂરી પરવાનગી પણ મળી ગઈ છે. આ ક્રુઝ સેવા દિલ્હીમાં ૩૬૫ દિવસમાંથી આશરે ૨૭૦ દિવસ કાર્યરત રહેશે, જ્યારે ચોમાસા દરમિયાન પાણીનું સ્તર વધશે ત્યારે તેને બંધ કરી દેવામાં આવશે. ક્રુઝ યાત્રા વઝીરાબાદ બેરેજ (સોનિયા વિહાર) થી શરૂ થશે અને જગતપુર (શનિ મંદિર) સુધી જશે. તેમાં એક સમયે 20-30 લોકો મુસાફરી કરી શકશે. આ નવી પહેલ પ્રવાસીઓને દિલ્હીની મુલાકાત લેવા માટે બીજો એક શ્રેષ્ઠ વિકલ્પ પૂરો પાડશે.
આ ક્રુઝ આધુનિક સુવિધાઓથી સજ્જ
સરકાર આ સેવાને સંપૂર્ણપણે આરામદાયક અને પર્યાવરણને અનુકૂળ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ ક્રૂઝ આધુનિક ટેકનોલોજીથી સજ્જ હશે અને ઇલેક્ટ્રિક અથવા સોલાર હાઇબ્રિડ મોડ પર ચાલશે. આ બોટ સંપૂર્ણપણે વાતાનુકૂલિત હશે, જેથી મુસાફરોને ગરમીમાં પણ કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. આ ઉપરાંત, તેમાં બાયો-ટોઇલેટ, ઓડિયો-વિડિયો સિસ્ટમ અને અન્ય જરૂરી સુવિધાઓ પણ હાજર રહેશે. શરૂઆતમાં બે નાના ક્રૂઝ ચલાવવામાં આવશે, પરંતુ આ સેવાને પછીથી વિસ્તૃત કરી શકાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech