એક સદીથી એવું માનવામાં આવે છે કે તંદુરસ્ત માનવ શરીરનું સરેરાશ તાપમાન 36.6 ડિગ્રી સેલ્સિયસ (98.6 ડિગ્રી ફેરનહીટ) છે પરંતુ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના અભ્યાસમાં આનું ખંડન કરવામાં આવ્યું હતું. જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે માનવ શરીરનું સરેરાશ તાપમાન 36.2 ડિગ્રીથી 36.8 ડિગ્રી (97.3 થી 98.2 ડિગ્રી ફેરનહીટ) વચ્ચે હોય છે.
ડો. જુલી પાર્સોનેટની આગેવાની હેઠળના અભ્યાસમાં 2008 થી 2017 દરમિયાન સ્ટેનફોર્ડ હેલ્થ કેરની મુલાકાત લેનારા 6.18 મિલિયન દર્દીઓના બાહ્ય તાપમાનના પરિમાણોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ માપ્નનો સમય, દર્દીની ઉંમર, લિંગ, બોડી માસ ઇન્ડેક્સ, દવાઓ અને આરોગ્યની સ્થિતિનો પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં મોટાભાગના લોકોનું તાપમાન 36.2 ડિગ્રીથી 36.8 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે હતું. સંશોધકોનું માનવું છે કે સરેરાશ તાપમાનમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ મેટાબોલિક રેટમાં ફેરફાર છે. છેલ્લા 200 વર્ષોમાં સ્વાસ્થ્ય સેવાઓ, સ્વચ્છતા, ખોરાકની ઉપલબ્ધતા અને જીવનધોરણમાં સુધારાને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે
ડો. પાર્સોનેટ કહે છે કે સમયની સાથે આપણી શારીરિક સ્થિતિમાં બદલાવ આવ્યો છે. આપણી આસપાસનું વાતાવરણ પણ બદલાઈ ગયું છે. જેના કારણે આપણા ઘરનું તાપમાન નિયંત્રણમાં આવ્યું છે, સૂક્ષ્મજીવોના સંપર્કમાં ઘટાડો થયો છે અને આપણને વધુ સારા અને પૌષ્ટિક ખોરાકની પ્રાપ્તિ થઈ છે. જે દશર્વિે છે કે ભલે આપણે વિચારીએ છીએ કે આપણે માનવ ઉત્ક્રાંતિ દરમિયાન સમાન રહ્યા છીએ પરંતુ વાસ્તવમાં શારીરિક રીતે બદલાવ થઇ રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech