એક સમય હતો જ્યારે લગ્નમાં જીવનભર સાથ નિભાવવામાં આવતો હતો. ધીમે ધીમે સમય બદલાયો અને સંબંધો જેટલી ઝડપથી સંબંધ બાંધવામાં આવે છે, એટલી જ ઝડપથી તૂટવા લાગ્યા છે. આજકાલ લોકો તેમના છૂટાછેડાની જાહેરાત સમાન ધામધૂમથી કરે છે. લગ્નના થોડા વર્ષો પછી યુગલો છૂટાછેડા લે એ નવી વાત નથી પરંતુ ઓસ્ટ્રિયામાં રહેતા એક કપલની થોડી વિચિત્ર કહાની સામે આવી છે, જેમણે છેલ્લા 43 વર્ષમાં 12 વખત છૂટાછેડા લીધા અને એકબીજા સાથે લગ્ન કર્યા. રિપોર્ટ અનુસાર, આ વિચિત્ર કિસ્સો ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં સામે આવ્યો છે.
વિયેનામાં રહેતું એક વૃદ્ધ દંપતી ત્યારે ચર્ચામાં આવ્યું જ્યારે ખબર પડી કે તેઓએ છેલ્લા 43 વર્ષમાં 12 વાર એકબીજા સાથે લગ્ન કર્યા અને પછી 3-3 વર્ષના અંતરાલ પછી એકબીજાને છૂટાછેડા આપી દીધા. ત્યારે સવાલ એ થાય કે તેમણે આવું કેમ કર્યું હશે? તો જાણો આખી વાત. વૃદ્ધ મહિલાના પતિનું વર્ષ 1981માં અવસાન થયું હતું. તે પછી તેણે બીજા લગ્ન કર્યા. પડોશીઓના કહેવા અનુસાર, આ કપલ વચ્ચે ઘણો પ્રેમ છે અને તેઓ છેલ્લા 43 વર્ષથી એક આદર્શ કપલની જેમ એક જ ઘરમાં સાથે રહે છે. તેમની વચ્ચે કોઈ મતભેદ નહોતો. તો પછી તેઓએ શા માટે છૂટાછેડા લીધા અને દર અઢી-ત્રણ વર્ષે ફરીથી લગ્ન કેમ કર્યા?
હકીકતમાં આ કપલ 43 વર્ષથી ઑસ્ટ્રિયન કાયદાની છટકબારીનો લાભ લઈ રહ્યું હતું. અહીંની નીતિ અનુસાર, જો કોઈ મહિલા વિધવા બન્યા પછી એકલી રહે છે તો સરકાર તેને 28,300 ડોલર એટલે કે 24 લાખ રૂપિયાનું ભથ્થું આપે છે. આવી સ્થિતિમાં જ્યારે પણ કોઈ મહિલા કાયદાકીય છૂટાછેડા લે છે, ત્યારે તેને સરકારી ભથ્થું મળે છે. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે મહિલા મે 2022માં 12માં છૂટાછેડા બાદ પેન્શન ઈન્સ્યોરન્સ ઈન્સ્ટિટ્યૂટમાં ગઈ. જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે તે એક જ પુરુષ સાથે લગ્ન કરી રહી છે અને ભથ્થું મેળવવા માટે છૂટાછેડા લઈ રહી છે. હવે દંપતી સામે છેતરપિંડીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમના 12મી વખત છૂટાછેડા નક્કી થયા ન હોવાથી બંને સામે સંયુક્ત રીતે કેસ ચલાવવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech