શહેર જામનગરમાં વાલકેશ્ર્વરી વિસ્તારમાં આવેલ અડધા કરોડ ીપયા ઉપરની કિંમતવાળી મિલકતનું તેના માલિક શ્રીમતી કુસમતિબેન રમેશચંદ્ર મોનાણીએ વીલ કરેલ જે મિલકત મુજબની એન્ટ્રી સીટી સર્વે સુપ્રી. કચેરી જામનગરમાં દાખલ થવા મનીષ રમેશચંદ મોનાણીએ અરજી કરેલ જે વીલની એન્ટ્રી થવા સામે તેના જ સગાભાઇઓ અજીત રમેશચંદ્ર મોનાણી તથા મહેશ રમેશચંદ્ર મોનાણી તથા તેની બહેનો મન્નાબેન પ્રદીપભાઇ ઘેડીયા તથા મીરા અનીલભાઇ ગુસાણી જામખંભાળીયાવાળાએ એવા વાંધા લીધેલ કે આ વીલ ભોળવાવીને મિલકતના માલીકની ઇચ્છા વિરુદ્ધ થયેલ છે. વીલવાળી મિલકત સંયુકત કુટુંબની આવકમાંથી મેળવેલછે. વીલ કરનાર જે તે વખતે કિમાર હતા વિગેરે અનેક કારણોસર વાંધા તકરાર દાખલ કરેલ જે તકરારી કેસ સુપ્રિ. લેનડ રેકર્ડ કમ એકત્રીકરણ અધિકારી જામનગર સમક્ષ ચાલી જતા મનીષ રમેશચંદ્ર મોનાણીના વકીલની રજુઆત કાયદા તથા પુરાવા ઘ્યાને લઇ વાંધેદાર અજીત, મહેશ તથા તેની બહેનોની વાંધા અરજી રદ કરી વીલ મુજબની એન્ટ્રી ધોરણસર કરી આપવા હુકમ ફરમાવેલ છે. મનીષ રમેશચંદ્ર મોનાણી તરફે વકીલ સનત એલ. વોરા તથા વકીલ પ્રેરક એસ. વોરા રોકાયેલ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech