અગ્રણી લાલજીભાઈ ભુવા દ્વારા વિશિષ્ટ આયોજન
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 74 મા જન્મદિવસ નિમિતે સલાયા શહેર ભાજપ મહામંત્રી લાલજીભાઈ ભૂવા દ્વારા સલાયામાં 74 વૃક્ષો વાવીને અનોખી ઉજવણી કરાશે.
ભારતના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીનો મંગળવાર તા. 17 સપ્ટેમ્બરના રોજ 74 મા જન્મદિવસ નિમિતે સલાયા શહેર ભાજપ મહામંત્રી અને રઘુવંશી સમાજના અગ્રણી ચિરાગભાઈ ડી. તન્ના (લાલજીભાઈ ભૂવા) દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપ અધ્યક્ષ મયુરભાઈ ગઢવીના માર્ગદર્શન હેઠળ અનોખી ઉજવણી કરવામાં આવશે. જેમાં નરેન્દ્ર મોદીનું સમગ્ર દેશમાં "એક પેડ માં કે નામ" અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે પર્યાવરણનું વધુ જતન થાય તે માટે વડાપ્રધાનનાં 74 માં જન્મ દિવસ નિમિતે સલાયામાં 74 વૃક્ષો વાવવામાં આવશે.
જેમાં લાલજીભાઈ ભૂવા દ્વારા 17 સપ્ટેમ્બરના રોજ 74 વૃક્ષ વાવીને વડાપ્રધાનને શુભેચ્છા પાઠવવામાં આવશે. આ આયોજનથી પર્યાવરણનું જતન પણ થશે અને જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવશે. આ કાર્યમાં સલાયા ભાજપ પરિવાર, યુવા ભાજપ પરિવાર,મહિલા મોરચો તેમજ સમાજિક અગ્રણીઓને જોડાવવા લાલજીભાઈ દ્વારા અપીલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશહેરમાં વાદળીયા વાતાવરણ વચ્ચે તાપમાન ૩૫.૧ ડીગ્રી
June 09, 2025 01:25 PMકાલાવડના યુવાન પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી : જામનગરના બે શખ્સ સામે ફરીયાદ
June 09, 2025 01:21 PMજામનગરમાં ગુલાબનગર પોલીસ ચોકી પાસે ટ્રાફિક ડ્રાઈવ: સઘન વાહન ચેકિંગ
June 09, 2025 01:15 PMજામજોધપુર-લાલપુરના ‘આપ’ના ધારાસભ્ય હેમંત ખવાએ લોકોના પ્રશ્ર્ને કરી મુખ્યમંત્રીને રજુઆત
June 09, 2025 12:59 PMઆજે દ્વારકામાં અખંડ રામધૂનનો ૨૧ હજારમાં દિવસમાં મંગલ પ્રવેશ
June 09, 2025 12:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech