જમ્મુ -કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાબાદ ભારતે પાકિસ્તાન ઉપર હુમલો કરીને જડબાતોડ જવાબ આપ્યો છે ત્યારે સમુદ્રી માર્ગે અથવા પોરબંદરના બંદર ઉપર કસી અનિચ્છનીય પરિસ્થિતિ સર્જાય નહીં તે માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવ ભરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને તેના કારણે માછીમારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે સમુદ્રમાં માછીમારી કરતાં સાગર પુત્રોને આઈ. એમ. બી. એલ. તરફ નહીં જવા માટે જણાવ્યું છે તો બીજી તરફ પોરબંદરમાં પણ જિલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજા માર્ગદર્શન નીચે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. પોરબંદરમાં સુભાષ નગર અને ફિશરિઝ ટર્મિનલ વિસ્તાર સહિત જુના બંદર અને અસ્માવતી ઘાટમાં જ્યાં ફિશિંગ ફોટો બાંધવામાં આવી છે ત્યાં કડક ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ખલાસીઓના આઈડી પ્રૂફ સહિત વિગતો માંગવામાં આવી હતી. કશુ પણ અનિચ્છનીય મળી આવ્યુ નથી આમ છતાં સલામતી અને સુરક્ષાના ભાગપે તપાસ થઇ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech