જમ્મુમાં થયેલા આતંકવાદી હુમલાના પગલે સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. આ અંતર્ગત સિહર પોલીસે અનેક વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સિહોર શહેરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકોને શોધવા માટે પોલીસે વ્યાપક અભિયાન શરૂ કર્યું હતું.
સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા આ અભિયાનના ભાગરૂપે સિહોરમાં ફરી સમી સાંજથી મોડી રાત સુધી કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પાલીતાણા ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (ઉઢજઙ) મિહિર બારૈયાના નેતૃત્વમાં પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ-ઇન્સ્પેક્ટર સહિતની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ શરૂ કરી હતી. પોલીસ ટીમે ખાસ કરીને મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં તપાસ કરી હતી.
આ દરમિયાન સ્થાનિક રહેવાસીઓના આધાર કાર્ડ અને અન્ય ઓળખપત્રોની ચકાસણી કરવામાં આવી છે. આ કાર્યવાહી દ્વારા ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકોને શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech