છેલ્લા થોડા સમયથી જમ્મુમાં આતંકવાદી હુમલામાં નોંધપાત્ર વધારો થયો છે. આતંકવાદીઓ અહીં ફરી અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ સેનાએ હવે જડબાતોડ જવાબ આપવાની રણનીતિ બનાવી છે વધતી ઘૂસણખોરી અને લોકોને પરેશાન કરવાની અને મારી નાખવાની પ્રવૃત્તિ ને ડામવા સેના આ વિસ્તારમાં તેની તૈનાતીને ફરીથી ગોઠવવાનો પ્રયાસ કરી રહી છે. આતંકી હુમલા વધતા સુરક્ષા દળોના 3000 વાળું જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે.
સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું છે કે આ વિસ્તારમાં લગભગ 500 પેરા સ્પેશિયલ ફોર્સ કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં 50-55 આતંકીઓ હોવાની આશંકા છે.ગુપ્તચર એજન્સીઓ પણ સક્રિય બની છે. માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ગુપ્તચર એજન્સીઓએ પણ પોતાની વ્યવસ્થા મજબૂત કરી છે. તેમનો પ્રયાસ આતંકવાદીઓના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કરવાનો છે જેમાં તેમને ટેકો આપતા લોકો પણ સામેલ છે. તેમણે કહ્યું કે આ વિસ્તારમાં 3,500-4000 જવાનોની બ્રિગેડ સહિત સેના પહેલાથી જ તૈનાત છે.આ ખાસ વ્યૂહરચના બનાવવામાં આવી છે.
સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું કે આ વખતે આતંકવાદીઓ નવા હથિયારોથી સજ્જ છે. આવી સ્થિતિમાં તેમને ખતમ કરવાની રણનીતિ બનાવવામાં આવી રહી છે. સેના પાસે પહેલાથી જ આતંકીઓનો સામનો કરવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. આ સિવાય રોમિયો અને ડેલ્ટા ફોર્સની સાથે રાષ્ટ્રીય રાઈફલ્સની બે ફોર્સ પણ છે. તે જ સમયે, નિયમિત પાયદળ વિભાગ પણ હાજર છે.
છેલ્લા એક મહિનામાં આતંકીઓએ જમ્મુને નિશાન બનાવ્યું છે. 9 જૂને રિયાસીમાં તીર્થયાત્રીઓથી ભરેલી બસ પર આતંકવાદીઓએ ફાયરિંગ કર્યું હતું. જેમાં 9 લોકોના મોત થયા હતા. આતંકવાદીઓએ 8 જુલાઈના રોજ કઠુઆમાં સેનાના એક વાહનને નિશાન બનાવ્યું હતું, જેમાં 5 જવાન શહીદ થયા હતા. છેલ્લા એક મહિનામાં આતંકીઓએ સાત મોટી ઘટનાઓને અંજામ આપ્યો છે. જેમાં 12 જવાનો શહીદ થયા છે, જ્યારે 9 નાગરિકોના મોત થયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવડત્રા પોલીસ મથક હરીયાળુ બનશે, પટાંગણમાં 50 વૃક્ષોનું આરોપણ
June 09, 2025 09:47 AMકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech