હિન્દી સિનેમાના પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્નાની ગઈકાલે 82મી જન્મજયંતિ હતી. ત્યારે તેમના જીવન અને વારસાને લગતા વિવાદો સતત ચર્ચામાં છે. પોતાના કામ અને કારકિર્દી માટે જાણીતા રાજેશ ખન્નાની જિંદગી ઉથલપાથલથી ભરેલી રહી છે. રાજેશ ખન્નાને બધા પ્રેમથી કાકા કહેતા. તેમણે ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો સાથે ભારતીય સિનેમા પર અમીટ છાપ છોડી છે.
તેમની ફેન ફોલોઈંગ ઘણી મોટી હતી, ચાહકો તેના પર અને તેની સફેદ કાર પર પણ ઘણો પ્રેમ વરસાવતા હતા. જો કે 70ના દાયકાના અંત સુધીમાં તેનું સ્ટારડમ ઓછું થવા લાગ્યું. 18 જુલાઇ, 2012ના રોજ તેમના મૃત્યુના એક મહિના પહેલા કરાયેલા તેમના વસિયતનામામાં રાજેશ ખન્નાએ તેમની મિલકત અને બંગલો 'આશિર્વાદ' તેમની પુત્રીઓ ટ્વિંકલ અને રિંકીના નામે કર્યો હતો. તેણે પત્ની ડિમ્પલ કાપડિયાનું નામ વસિયતનામામાં સામેલ નહોતું કર્યું.
રાજેશ ખન્નાની ઇચ્છા
જો કે, તેમના અવસાનના એક દિવસ પહેલા રાજેશ ખન્નાની કથિત લિવ-ઈન પાર્ટનર અનિતા અડવાણીએ તેમના પરિવારને તેમની મિલકત પર તેમના હકનો દાવો કરતી કાનૂની નોટિસ મોકલી હતી.
અનિતા પોતાને 'સરોગેટ વાઈફ' કહે છે
અનિતા અડવાણી પોતાને ખન્નાની સરોગેટ પત્ની કહે છે. તેણે રાજેશ ખન્નાની વસિયતમાં પોતાની ભાગીદારીની વાતનો ખુલાસો કર્યો. તેણે કહ્યું, 'મેં તેમની સંભાળ લીધી, આશીર્વાદની કાળજી લીધી અને તેના માટે કરવા ચોથનું વ્રત પણ રાખ્યું.' તેમના દાવા છતાં, રાજેશ ખન્નાના પરિવારે તેમના છેલ્લા દિવસોમાં તેમનાથી અંતર રાખ્યું હતું અને તેમને અંતિમ સંસ્કારથી પણ દૂર રાખ્યા હતા.
રાજેશ ખન્નાનું છેલ્લું સપનું પૂરું ન થઈ શક્યું
એક ઇન્ટરવ્યુમાં અનિતા અડવાણીએ રાજેશ ખન્નાની સંભાળ રાખવા અને તેને ટેકો આપવા બદલ તેના વળતરની માંગણી કરી. તેણીએ કહ્યું, 'તેના એકલતાના સમયગાળા દરમિયાન હું તેની સાથે હતી.' અડવાણીએ રાજેશ ખન્નાના બંગલા આશીર્વાદને મ્યુઝિયમમાં રૂપાંતરિત કરવાની વાત પણ કરી અને કહ્યું કે આ રાજેશ ખન્નાનું સપનું હતું અને હવે તેઓ માને છે કે તેમના મૃત્યુ બાદ આ સપનું અવગણવામાં આવ્યું હતું.
પરિવારે ગેરવર્તન કર્યું
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે જ્યારે રાજેશ ખન્ના હતા ત્યારે તેમણે આ મુદ્દાઓ કેમ ન ઉઠાવ્યા, તો અનિતા અડવાણીએ કહ્યું કે હું તે માણસને પ્રેમ કરતી હતી. મેં પૈસાનો વિષય નથી ઉઠાવ્યો કારણ કે હું તેની મિલકતને કારણે ક્યારેય તેની સાથે નહોતી પરંતુ તેના પરિવાર તરફથી ખરાબ વર્તન બાદ મારે કાયદાકીય સહારો લેવાની ફરજ પડી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech