બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને દિલ્હી હાઈકોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. કોર્ટે કોરોના રોગચાળા દરમિયાન લાખો લોકોના મૃત્યુ માટે એલોપેથી ડોકટરોને દોષી ઠેરવતા અને પતંજલિની કોરોનિલ દવાને સારવાર તરીકે પ્રમોટ કરવાના તમામ દાવાઓ પાછા ખેંચવાનો આદેશ આપ્યો છે. હકીકતમાં, રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશને દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી અને બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ કંપ્નીની દવા કોરોનિલને કોવિડ-19ના કાયમી ઈલાજ તરીકેના દાવા સામે વાંધો ઉઠાવ્યો હતો. તે સમયે બાબા રામદેવે કહ્યું હતું કે કોરોનિલ માત્ર રોગપ્રતિકારક શક્તિ વધારનાર નથી પરંતુ કોવિડ-19ના ઈલાજ માટેની દવા છે. આ અરજી બાબા રામદેવ, આચાર્ય બાલકૃષ્ણ અને પતંજલિ આયુર્વેદ વિરુદ્ધ વર્ષ 2021માં દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. આ અરજી પર જસ્ટિસ અનુપ જયરામ ભંબાણીની સિંગલ બેંચે તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ 21મી મેના રોજ સુનાવણી પૂર્ણ કરી નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. દિલ્હી હાઈકોર્ટે સોમવારે આ અંગે નિર્ણય સંભળાવ્યો. અરજીમાં રામદેવ અને તેમના અન્ય સહયોગીઓને આવા નિવેદનો કરતા રોકવાના નિર્દેશો પણ માંગવામાં આવ્યા છે. ડોક્ટરો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે રામદેવે કોરોનિલને કોરોનાની દવા કહીને ઘણા ભ્રામક દાવા કયર્િ છે. જ્યારે તેમને કોરોનિલ માટે માત્ર ઇમ્યુનો-બૂસ્ટર બનવાનું લાઇસન્સ મળ્યું હતું. પિટિશનમાં એવી પણ માંગ કરવામાં આવી હતી કે પતંજલિ આયુર્વેદ અને બાબા રામદેવને ભવિષ્યમાં આવા નિવેદનો કરવાનું બંધ કરવા માટે સૂચના આપવામાં આવે. આ અરજીઓ ઋષિકેશ, પટના અને ભુવનેશ્વર સ્થિત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સના ત્રણ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશનો તેમજ ચંદીગઢ, પંજાબ, મેરઠ અને હૈદરાબાદના અલગ-અલગ ડોક્ટર્સ એસોસિએશનો દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન (ઇન્ડિયન મેડિકલ એસોસિએશન) એ કોર્ટને કહ્યું હતું કે બાબા રામદેવ લોકોને રસી ન લેવાનું કહી રહ્યા છે. એલોપથીને સ્ટુપીડ સાયન્સ કહેવામાં આવતું હતું. તબીબોની પણ મજાક ઉડાવી. અરજીમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે રામદેવે 250 કરોડ રૂપિયાના કોરોનિલને વેચી દીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech