ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે ત્યારે વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રોડ-રસ્તાઓનું તાત્કાલિક ધોરણે સમારકામ થઈ જાય અને લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે ભાવનગર મહાપાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારોમાં રોડ રસ્તા રિપેરિંગ, રિસરફેસિંગ, મેટલવર્ક કરી મોટરેબલ કરવાની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.
જેમાં અદ્ધતન ટેકનોલોજી કોલ્ડ મિક્ષ જેટ પેચર મશીનથી રીપેરીંગની કામગીરી કરવામાં આવી રહી છે.રસ્તો મોટરેબલ કરવા માટે પરાજા/મોરમ મટીરીયલથી ટોપ થ્રી સર્કલ થી અધેવાડા રોડ,સિંહ સર્કલ પાસે ટાઇમ રેસીડેન્સીવાળો ખાંચો, રૂવાપરી થી ટેકરી ચોક, આડોડિયાવાસ કંસારા, કાંઠાવાલા રોડ થી અજય સોસાયટી, ઘોઘા સર્કલ યુનિયન બેન્ક પાસેનો રોડ, ઉઇ પાર્ક બાલા હનુમાન વાળા રોડ પર રસ્તાઓના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. આમ ૩૪ પૈકી ૨૧ રસ્તાઓના મરામતની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનની પોલ ખોલીને પરત ફરેલા પ્રતિનિધિમંડળના સભ્યોને મળ્યા PM મોદી
June 10, 2025 09:31 PMગુજરાતમાં કોરોનાના નવા 223 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 1200ને પાર
June 10, 2025 09:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech