જામનગરનાં શહેરીજનોને સુમાહિતગાર કરવામાં આવે છે કે, નાણાંકિય વર્ષ ૨૦૨૪-૨૫ માટેના મિલ્કત વેરા તથા તેને સંલગ્ન અન્ય વેરા ભરપાઈ કરવાની કાયદાકિય મુદ્દત તા.૦૧/૦૪/૨૦૨૪ અને તા.૦૧/૧૦/૨૦૨૪ વિતિ ગયેલ છે.ચાલુ નાણાંકિય વર્ષનાં વેરા બિલો એસએમએસ મારફત અને રૂબરૂ દરેક મિલ્કતધારકોને બજાવવી આપવામાં આવેલ છે.
ચાલુ નાણાંકિય વર્ષ દરમ્યાન એડવાન્સ ટેક્સ રિબેટ અને ૧૦૦ % વ્યાજમાફી જામનગર મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલ છે પરંતુ હજુ પણ ૬૦ % થી વધુ મિલ્કતધારકો દ્વારા તેઓનો બાકી વેરો ભરપાઈ કરેલ નથી. વેરા વસુલાત અન્વયે જામનગર મહાનગરપાલિકા દ્વારા વોરંટ અને અનુસૂચીની બજવણી હાલ કરવામાં આવી રહેલ છે. વોરંટ અને અનુસૂચી બજવણી બાદ મિલ્કત જપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મિલ્કત જપ્તીની કાર્યવાહીથી બચવા આપનો બાકી રહેતો મિલ્કત વેરો તથા અન્ય સંલગ્ન વેરા તુરંત જ જામનગર મહાનગરપાલિકામાં ભરપાઈ કરવા અનુરોધ કરવામાં આવે છે.તેમ જામનગર મહાનગરપાલિકાના (ટેક્સ) આસિસ્ટન્ટ કમિશ્નરની યાદીમાં જણાવ્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech