રાજકોટ મહાપાલિકા દ્રારા શહેરમાં જેટપેચરથી રસ્તા રીપેરીંગ શ કરાયું હતું દરમિયાન કાલાવડ રોડ ઉપર સ્વામિનારાયણ મંદિર સામેના અક્ષર માર્ગ ઉપર કરાયેલું રસ્તા રીપેરીંગ વ્યવસ્થિત નહીં થતાં કોન્ટ્રાકટર એજન્સી એસી ઇન્ફ્રા કોણ ને નોટિસ ફટકારી તેની પાસે જ નવેસરથી રસ્તાનું રીપેરીંગ કરાવવામાં આવ્યું હતું. જેટ પેચરથી કરાયેલા રસ્તા રીપેરીંગ ના કામમાં એક વર્ષની ગેરંટી હોય છે પરંતુ અક્ષર માર્ગ સહિત બે સ્થળોએ ચકાસણીમાં ક્ષતી દેખાતા ફરી કામ કરાવ્યું હતું. ચોમાસા દરમિયાન ભેજ વાળા વાતાવરણના સમયે તાત્કાલિક અસરથી કામ કરવા માટે આ એજન્સી રોકવામાં આવી હતી.
દરમિયાન તાજેતરમાં રાજકોટ મહાપાલિકાના વેસ્ટ ઝોન હેઠળ આવતા વિસ્તારમાં ગઇકાલથી વોર્ડ નં.૮માં રૈયા રોડ, લીંબુડીવાડી, કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિર પાસે, રાજનગર ચોક, સોજીત્રાનગર રોડ સહિતના રસ્તાઓ ઉપર જેટ પેચર મશીનથી ૧૭૩ ચોરસ મીટર રીપેર કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં વોર્ડવાઇઝ યાં જર જણાય ત્યાં જેટ પેચર થી રીપેરીંગ કરાશે. ગઇકાલે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં એકશન પ્લાન હેઠળના રસ્તા કામો માટેનો કોન્ટ્રાકટ મંજૂર થતાં હવે ટુંક સમયમાં સમગ્ર શહેરમાં એકસાથે ડામરકામનો ધમધમાટ શ થશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech