વિશિષ્ટ પ્રતિભા સન્માન સમારોહ યોજાયો
જોડીયા તાલુકા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા જોડિયા તાલુકાના પડાણા મુકામે એક સરસ્વતી સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવેલું હતું જેમાં ક્ષત્રિય રાજપૂત સમાજના તેજસ્વી તારલાઓનું તેમજ વિશિષ્ટ પ્રતિભા સન્માન સમારોહનું આયોજન કરેલ હતું.
જેમાં કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ઠાકોર સાહેબ રાજકોટ માંધાતા સિંહજી ઓફ રાજકોટ તેમજ કાર્યકર્મના ઉદ્ઘાટ ક મયુર ધ્વજ સિંહજી ( જે એમ જે ) ગ્રુપ રાજકોટ. ઇન્દ્રવિજયસિંહ રા ઓલ.( લાખણકા સ્ટેટ ) મુખ્ય મહેમાન તરીકે રિવાબા રવિન્દ્ર સિંહ જાડેજા ( ધારાસભ્ય જામનગર) અતિથિ વિશેષ એમ.બી.જાડેજા સાહેબ. પરબતસિંહ જાડેજા.ડો. જીગર સિંહ જાડેજા.ડો. રાજેન્દ્રસિંહ જાડેજા તેમજ વિજયસિંહ જાડેજા ( રાજ સિક્યુરિટી રાજકોટ ) કે.ડી.જાડેજા સાહેબ( પી.એસ. આઈ. બાલંભા ) તેમજ શક્તિસિંહ જાડેજા ( કોટડા નાયાણી ભૂમિ ગ્રુપ ગોંડલ) ની ઉપસ્થિતિમાં તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ વિશિષ્ટ પ્રતિભા ઓ ને જોડીયા તાલુકા રાજપૂત સમાજ દ્વારા સિલ્ડ તેમજ સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવેલ હતા.
કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને માન. ઠાકોર સાહેબ માંધાતા સિંહ જી જાડેજા( સ્ટેટ ઓફ રાજકોટ) એ શોભાવ્યું હતું કાર્યક્રમના અંતે શાસ્ત્રી જ્ઞાન વલ્લભદાસજી સ્વામી( પૂર્વ મહંત શ્રી સ્વામિનારાયણ મંદિર મુળી ) એ આશિ વચન પાઠવેલ.
ઉપરોક્ત કાર્યક્રમને સફળ બનાવવા જોડીયા તાલુકા રાજપૂત સમાજ પ્રમુખ અરવિંદસિંહ ચંદુભા જાડેજા ( તારાણા ) ઉપપ્રમુખ સહદેવસિંહ ખુમાનસિંહ જાડેજા( ટી બ ડી ) તેમજ મંત્રી શ્રી નરેન્દ્ર સિંહ ચનુભા જાડેજા( અંબાલા )) તથા સમગ્ર જોડીયા તાલુકા ક્ષત્રિય રાજપૂત સમાજે કાર્યક્રમને સફળ બનાવવા અથાગ મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવેલ હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech