ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન પર ભારત સરકાર દ્વારા સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આ અંગે રાજ્ય સરકાર દ્વારા મળેલ સૂચના અનુસાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 59મો પદવીદાન સમારોહ હાલ મોકુફ રાખવામાં આવ્યો છે. પદવીદાન સમારોહની નવી તારીખ પછી જાહેર કરવામાં આવશે તેમ કુલ સચિવે જણાવ્યું છે.
પદવીદાન સમારોહમાં ગોલ્ડમેડલ મેળવનાર કુલ 123 દિક્ષાર્થીઓમાં 39 વિદ્યાર્થીઓ તથા 84 વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે. જેમાં જામનગરની એમ.પી. શાહ મેડીકલ કોલેજની વિદ્યાર્થીની રામચંદાણી તારીકાને એમબીબીએસમાં સૌથી વધુ 04 ગોલ્ડમેડલ અને 03 પ્રાઇઝ, જામનગરની એમ.પી. શાહ મેડીકલ કોલેજની વિદ્યા ગાંધી ઝોઝરને એમબીબીએસમાં 03 ગોલ્ડ મેડલ અને 07 પ્રાઇઝ, પ્રભાબેન પટેલ કોલેજ, મોરબીની વિદ્યાર્થીની વ્યાસ દેવાંગીનેને એલએલબીમાં 03 ગોલ્ડ મેડલ અને 06 પ્રાઇઝ, મોંઘીબા મહિલા આર્ટસ કોલેજ, અમરેલીની વિદ્યાર્થીની ડાભી ભૂમિકાબેનને બીએ ગુજરાતીમાં 03 ગોલ્ડમેડલ તથા 02 પ્રાઇઝ એનાયત થશે.
યુનિ.ના 59મા પદવીદાન સમારોહની સફળતા માટે જુદી-જુદી કમિટીઓની રચના કરવામાં આવેલ છે. યુનિ.ના આ 59મા પદવીદાન સમારંભનું સૌરાષ્ટ્ર યુનિ.ની વેબસાઇટ તથા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પરથી લાઇવ પ્રસારણ કરવામાં આવશે.
પદવીદાન સમારંભમાં પદવી મેળવનાર તથા તમામ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ તથા સંબંધકર્તાઓએ પદવીદાન સમારંભના લાઇવ પ્રસારણનો લાભ લેવા અનુરોધ કરાયેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech