રાજકોટમાં રહેતા દહેજ ભૂખ્યા સાસરીયાઓનો સીતમ: ઘરમાંથી હાંકી કાઢ્યાની ફરિયાદ
જામનગરની પરણીતાને રાજકોટમાં રહેતા તેણીના દહેજ ભૂખ્યા સાસરીયાઓએ ત્રાસ ગુજારી દહેજ ની માંગણી સાથે ઘરમાંથી પહેલા કપડે હાંકી કાઢી હોવાથી તેણીએ જામનગર આવી પોતાના દહેજ ભૂખ્યા સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં રહેતી અને રાજકોટ પરણાવેલી નેહાબા વનરાજસિંહ જાડેજા નામની ૨૪ વર્ષીય યુવતી કે જેના લગ્ન આજથી દોઢ વર્ષ પહેલાં રાજકોટમાં રહેતા વનરાજસિંહ ભરતસિંહ જાડેજા સાથે થયા હતા. લગ્નની શરૂઆતમાં સારી રીતે રાખ્યા બાદ માત્ર સાત માસના સમયગાળા દરમિયાન તેણીને દહેજ ના કારણે ત્રાસ ગુજારવામાં આવતો હતો, અને શ્વસુર પક્ષના તમામ સભ્યોએ વધુ દહેજ ની માંગણી સાથે ઘરમાંથી પહેરેલા કપડે હાંકી કાઢી હતી.
આથી નેહાભાઈ જામનગર આવીને પોતાના દહેજભૂખ્યા સાસરીયાઓ સામે ફરિયાદ નોંધવા માટે જામનગરના મહિલા પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, જયાં તેણે પોતાના પતિ બલરાજસિંહ ભરતસિંહ જાડેજા, સાસુ દશરથબા ભરતસિંહ જાડેજા, સસરા ભરતસિંહ જાડેજા, જેઠ વિક્રમસિંહ ભરતસિંહ જાડેજા, અને નણંદ સેજલબા સત્યજીતસિંહ સોલંકી સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે તમામ આરોપીઓ સામે દહેજ પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે, અને તપાસનો દોર રાજકોટ સુધી લંબાવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech