આસો માસની નવરાત્રી મહાપર્વ તરીકે ઉજવાય છે. નવ દિવસ દરમિયાન માં જગદંબાના નવદુર્ગાના સ્વપોનું પૂજન અર્ચન કરવામાં આવે છે. શાક્રોત વિધિથી ઘટસ્થાપન કરી દરરોજ એક એક દેવીની વિશેષ મહાપૂજા કરવાનું મહાત્મય છે. ગિરનાર પર્વત પર બિરાજમાન શકિતપીઠ માં અંબાજીના દર્શન કરવા ભાવિકો ઉમટી પડશે. નવરાત્રી મહોત્સવ દરમિયાન મંદિરને અનેરો રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે.અંબાજી મંદિરના મહતં મોટા પીર બાવા તનસુખગીરી બાપુની નિશ્રામાં આજે પ્રથમ નોરતા નિમિત્તે નિજ મંદિરમાં સવારે ૮ કલાકે ધટસ્થાપન વિધિ સાથે અનુ ાનનો પ્રારભં થયો હતો .મહોત્સવ અંતર્ગત દરરોજ સવાર સાંજ માતાજીના શ્રી સુકતના પાઠ, અભિષેક અને મહા આરતી કરવામાં આવશે. નવરાત્રી દરમિયાન માતાજીને રોજબરોજ શૃંગાર અને વિશિષ્ટ્ર પૂજા કરવામાં આવશે. મંદિરના પૂજારી દ્રારા મંદિરને શણગાર કરવામાં આવેલ છે. સાંજના સમયે માતાજી સન્મુખ રાસ ગરબાની રમઝટ થશે.નવરાત્રી મહોત્સવ દરમિયાન મંદિર પરિસરમાં જય માતાજીનો નાદ ગુંજી ઉઠશે.
આઠમા નોરતે હવન અષ્ટ્રમીનો યજ્ઞ યોજાશે જેમાં માતાજી સન્મુખ હવનનું પણ આયોજન કરાયું છે. જેમાં હજારો માઈભકતો માતાજીના દર્શન અને હવનના દર્શન કરવા હવનાષ્ટ્રમીના દિવસે માતાજીના દર્શને પધારેલા ભાવિકોને મહાપ્રસાદ પીરસવામાં આવશે.નવરાત્રી દરમિયાન ગિરનાર ઉપર અનુ ાન કરવાનું પણ મહત્વ છે. જેથી નવરાત્રીના દિવસો દરમિયાન અનેક શ્રદ્ધાળુઓ માતાજી સન્મુખ અનુ ાન કરી પૂજન અર્ચન કરશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech