જેતપુર શહેરના જમાદારની વાડી વિસ્તારમાં રહેતી યુવતીએ એક વર્ષ પૂર્વે મરણ ગયેલ ભાઈના આઘતમાં ગઈકાલે ગળેફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. એક વર્ષ પૂર્વે પુત્ર અને હવે દીકરીના અકાળે અવસાનથી મૃતદેહ પીએમ માટે હોસ્પીટલ લાવવામાં આવ્યો ત્યારે મૃતકના માતા પિતાના કણ આક્રંદથી સમગ્ર હોસ્પીટલ પરિસર ગુંજી ઉઠો હતો.
શહેરની જમાદાર વાડી વિસ્તારમાં રહેતા અને વિવેકાનદં સ્કૂલમાં નોકરી કરતા દિનેશભાઇ રાવલીયાનો પુત્ર દેવ એક વર્ષ પૂર્વે બીમારી સબબ મરણ ગયેલ હતો. એકના એક પુત્રના મોત્તના સદમાથી માંડ માંડ કળ વળી હતી ત્યાં ગઈકાલે દિનેશભાઇની પુત્રી સુરભી ઉવ. ૨૫ પોતાના રૂમમાં ગળેફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો.
સુરભીના આપઘાત અંગે પરીવારજનોના જણાવ્યા મુજબ એકના એક ભાઈના મોત બાદ બેન સતત ભાઈની યાદમાં રડયા રાખતી હતી. તેવામાં તેણીના ચાર વર્ષ પૂર્વે કરેલ સગાઈ બાદ હવે તેણીના લગ્નની તૈયારી ચાલુ હોય અને લગ્ન બાદ માતા પિતાને એકલા છોડીને ચાલી જઈશ તો તેઓનું શું થશે તેવા ગમમાં રહેવા લાગી હતી. અને લ નથી કરવા તેવું રટણ કરતી. જેમાં સુરભીના લની કંકોત્રી છપાઈ ગઈ અને રવિવારે માંડવો અને ત્યારબાદ લ હોય તેણી ભાઈના વિયોગમાં અને માતા પિતાને છોડીને જવું ન હોય દુનિયા છોડીને જવાનું પસદં કયુ અને આજે સવારે પોતાને ઘરે ગળેફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. દીકરીના આપઘાત બાદ પીએમ માટે મૃતદેહ સરકારી હોસ્પીટલ લવાતા માતા પિતા બંનેના કણ આક્રંદથી સમગ્ર હોસ્પીટલનું પરિસર ગુંજી ઉઠું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech